________________
अणुसासिओ ण कुप्पिज्जा
૧૯૫
જ નુકસાન પહોંચે છે. ક્યારેક તો એ નુકસાન કેવી રીતે પોતાને પહોંચ્યું છે એની પોતાને પણ ખબર નથી હોતી. માત્ર જાણકારો જ એ વિશે જાણતા હોય છે.
વડીલો કે ગુરુજનને પક્ષે એટલું અવશ્ય કહેવું જોઈએ કે દરેકે દરેક વખતે તેઓ યોગ્ય પ્રમાણમાં જ માપસર શિક્ષા કરે છે એવું નથી હોતું. ક્યારેક ચીડ, આવેગ કે ગુસ્સામાં તેઓ પોતાના સંતાનોને કે શિષ્યોને વધુ પડતી શિક્ષા કરી બેસે છે. કેટલાક પાછળથી એ માટે પસ્તાય પણ છે. આપણે ત્યાં કહેવત છે કે ચીભડાના ચોરને ફાંસીની સજા ન કરાય. એટલે ઘરમાં, વિદ્યાધામમાં, કે ધર્મસ્થાનકો ઇત્યાદિમાં પોતાના આશ્રિતોને શિક્ષા કરતી વખતે પુખ્ત વિચારણાને પૂરતું સ્થાન હોવું જોઈએ: શિસ્તપાલન, અનુશાસન, દંડશિક્ષામાં પણ વિવેકનું લક્ષણ મહત્ત્વનું ગણાયું છે. જે એ ચૂકે છે એને ભોગવવાનો વારો આવે છે.
દુનિયામાં જેટલા ગુરુ હોય તે બધા જ ક્યારેય અન્યાય ન કરે, વેર ન વાળે, પૂર્વગ્રહ કે ડંખ ન રાખે એવા હોય એમ બની શકે નહિ. અંતે તેઓ પણ મનુષ્ય છે અને મનુષ્યસહજ ત્રુટિ કેટલાકમાં હોઈ શકે છે. કેટલાક વિરલાઓ જ એનાથી ઉપર ઊઠી શકે છે. એટલે કેટલાક ગુરુએ જ્યારે શિસ્તપાલનાર્થે શિક્ષા કરી હોય ત્યારે તેમાં પોતાના અંગત સ્વાર્થ, અહંકાર, પૂર્વગ્રહ ઇત્યાદિ કામ કરી જાય એવું પણ સંભવે. એ વખતે એ વિશે તેઓ સભાન હોય કે ન પણ હોય. અલબત્ત, સારા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org