________________
૧ ૯૪
વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨
પ્રતિક્રિયા ચાલુ થઈ જાય છે. જેઓને શિસ્તનું પાલન કરવું પડે છે તેઓ બધા હંમેશાં હોંશથી પાલન કરે એવું નથી. વળી શિક્ષા-punishmentનો વિષય ક્યારેય પ્રિય ન થઈ શકે. માણસ પોતાના દોષોનો એકરાર કરીને એમ કહી શકે કે સારું થયું કે “મને શિક્ષા થઈ, નહિ તો હું સુધરત નહિ. મારી આખ ઊઘડી.” કોઈ એમ ન કહી શકે કે “મને શિક્ષા બહુ ગમે છે અને વારંવાર ગમે એટલા માટે વાંરવાર ભૂલ કરવાનું મન થાય છે.”
ગુરુ કે ઉપરીને પણ શિક્ષા કર્યાનો તો જ સંતોષ હોય છે કે જેથી હાથ નીચેનો માણસ સુધરી શકે. ખુદ વારંવાર શિક્ષા કર્યાનો એમને શોખ કે આનંદ ન હોવો જોઈએ. હોય તો તે માનસિક વિકૃતિ છે એમ ગણાય. શિક્ષા કર્યા છતાં જો વ્યક્તિ સુધરે નહિ તો ગુરુ એને છોડી દે છે, કારણ કે એકની ગેરશિસ્ત સમસ્ત સમુદાયને બગાડી શકે છે.
કેટલાક માણસો ગુરુનું, વડીલનું કે ઉપરીનું આજ્ઞાપાલન કરે, પણ તે કરતાં વાર લગાડે. એ અજાણતાં હોય અને ઇરાદાપૂર્વક પણ હોય; એ ઇચ્છાપૂર્વક હોય અને અનિચ્છાએ મન વગર પણ હોય. એમાં ઉત્સાહ હોય અથવા માત્ર વેઠ જ હોય. આજ્ઞાપાલન કરાવનાર દરેક વખતે બધું બરાબર સમજી શકે જ એમ ન કહી શકાય, કારણ કે માણસનું મન અકળ છે. પરંતુ એટલું નિશ્ચિત છે કે જ્યાં શિસ્તપાલનમાં ઉમંગ, ઉત્સાહ અને તત્પરતા નથી હોતાં ત્યાં લાંબે ગાળે વ્યક્તિને પોતાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org