________________
अणुसासिओण कुप्पिज्जा
૧૯૩
હુકમ કરીને કામ કરાવતાં ન આવડે. એમ કહેવાય છે કે only those who obey well can command well. 4131241 વ્યક્તિત્વ એવું હોવું જોઈએ કે એની આજ્ઞાનો બોલ ઉઠાવવા અનેક લોકો તત્પર હોય.
અનુશાસનમાં એકવર્ગ શિસ્તપાલન કરાવનાર છે અને બીજો વર્ગ તે પાલન કરનાર છે. એકની પાસે સત્તા છે અને બીજાની પાસે શરણાગતિ છે. એટલે શિસ્તપાલન કરાવનારનું મનોવલણ એક પ્રકારનું હોય છે અને પાલન કરનારનું બીજા પ્રકારનું. એકનું આપખુદ અને બીજાનું શરણાર્થીનું માનસ બની જવાનો સંભવ રહે છે. આ સંબંધમાં જ્યારે વિસંવાદ થાય છે ત્યારે સંઘર્ષ અને માઠાં પરિણામ નીપજે છે. એમાં પણ અન્ય પક્ષે તન, મન, ધનનું બળ વધુ હોય તો વસ્તુસ્થિતિ વકરે છે. પુત્રે પિતાનું ખૂન કર્યું હોય, વિદ્યાર્થીએ શિક્ષકને તમાચો માર્યો હોય કે ચેલો ગુરુની છાતી પર ચડી બેઠો હોય એવા બનાવો ક્યાં નથી બનતા?
એટલે શિસ્તપાલનની વાત કરવી એ એક વાત છે અને જાતે એનો અમલ કરવો એ બીજી વાત છે. એક લેખકે કહ્યું છે § 'It is one thing to praise discipline and another to submit to it.'
કેટલાક માણસો શિસ્તપાલનની આવશ્યકતા પર ભાર મૂકે છે, એની પ્રશંસા કરે છે, પરંતુ પોતાને માથે જ્યારે નિયમપાલનની વાત આવી પડે છે ત્યારે તેની વિરુદ્ધની તેઓની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org