________________
૧૯ ૨
વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨
અદાલતને સોંપી શકે છે.)
યુદ્ધમોરચે પ્રત્યેક ક્ષણની ગણતરી હોય છે. આક્રમણ અને સંરક્ષણની વ્યુહાત્મક ગણતરીમાં એક મિનિટ મોડું આક્રમણ થાય તો તે પહેલાં દુશ્મનનું આક્રમણ થઈ ચૂક્યું હોય અથવા પોતાના જ સૈનિકો પર પોતાનો બોમ્બમારો થવાનું જોખમ રહે છે. એટલે યુદ્ધમોરચે તો પ્રત્યેક પળનું આજ્ઞાપાલન અત્યંત મહત્ત્વનું ગણાય છે.
યુદ્ધભૂમિ ઉપર તો ઉપરીના હુકમની યોગ્યયોગ્યતા વિશે વિચાર કરવાનો જ ન હોય. ખોટા કે ઉતાવળિયા હુકમથી મૃત્યુના મુખમાં જવાનું હોય, તો પણ તે પ્રમાણે, કરવાનું જ હોય. એટલા માટે જ પેલી “ચાર્જ ઓફ ધ લાઈટ બ્રિગેડ” કવિતાની પંક્તિઓ જાણીતી છે કે
There is not to reason why
There is but to do and die. સૈન્યમાં તો ઉપરથી નીચે સુધીની એક શૃંખલા હોય છે. એમાં વચ્ચેના તબક્કાના સેનાના માણસોની બેવડી ફરજ હોય છે. પોતાના ઉપરી અધિકારીઓના હુકમ “યસ સર’ કહીને ઉઠાવવાના અને પોતાના હાથ નીચેના સૈનિકોને હુકમો કરવાના. સૈનિક નીચેની પાયરીએથી જેમ જેમ ઉપર ચડતો જાય તેમ હુકમ ઉઠાવવાના ઓછા અને કરવાના વધુ. પરંતુ આજ્ઞાંકિતપણાની જેમ એક કલા છે તેમ ઉપરીપણાની પણ કલા છે. કેટલાકને હુકમ પ્રમાણે કામ કરતાં આવડે, પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org