SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ अणुसासिओ ण कुप्पिज्जा ૧૯૧ સેનિકો સુધીની દરેક કક્ષાએ ઉપરીના આદેશને માન્ય રાખવો જ પડે. એની અવગણના કરનારને, આજ્ઞા ઉથાપનારને શિક્ષા તરત જ કરવામાં આવે. જો શિક્ષામાં વિલંબ થાય તો સેનામાં શિથિલતા આવી જાય. સામાન્ય નાગરિકો માટે ન્યાયતંત્રનો આશ્રય લેવાય છે ને ન્યાયતંત્રનો ચુકાદો આવતાં બેચાર મહિનાથી માંડીને પાંચ પંદર વર્ષ પણ લાગે. (વર્તમાન ભારતમાં તો કેટલાક ચુકાદાઓ વીસ-પચીસ વર્ષે આવે છે કે જ્યારે બીજી પેઢી આવી ગઈ હોય અને એથી જ ભારતીય જનજીવનમાં અને વિશેષતઃ રાજકારણમાં ભયંકર ગેરશિસ્ત પ્રવર્તે છે, કારણ કે માણસ શિક્ષાથી નથી ડરતો. એ સમજે છે કે શિક્ષા થતાં પાંચપંદર વર્ષ લાગવાનાં છે.) સેનામાં કોઈપણ ગુના માટે પાંચપંદર વર્ષે સજા થવાની હોય તો આજ્ઞાભંગના અનેક કિસ્સાઓ બને. યુદ્ધભૂમિ પર જવાનો અનેક સૈનિકો ઇન્કાર કરે, ને પછીથી જે સજા થાય તે પોતે ભોગવી લેશે એમ માને. પરંતુ આવી રીતે સેનાનું કાર્ય ચાલી શકે નહિ. ત્યાં આજ્ઞાભંગની તરત જ કડક સજા થતી હોવાથી આજ્ઞાભંગ થાય નહિ. આજ્ઞાપાલનના સિદ્ધાન્ત ઉપર જ કોઈપણ દેશના સંરક્ષણની ક્ષમતા રહેલી છે. એટલે જ સૈનિકો પર નાગરિકોના ન્યાયાલયમાં કામ નથી ચલાવાતું. પરંતુ અલાયદી સૈનિક અદાલતમાં કામ ચલાવાય છે. એને કોર્ટ માર્શલ કહેવામાં આવે છે. (સૈનિકોએ નાગરિકો સાથેના વ્યવહારમાં કોઈ ગુનો કર્યો હોય તોપણ નાગરિક અદાલત તેનો કિસ્સો લશ્કરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004557
Book TitleVeerprabhuna Vachano
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy