________________
૧૯૦
વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨
અનેક કિસ્સાઓ છે. (અલબત્ત અંગ્રેજી કેળવણી આવ્યા પછી આવી ભાવનામાં અને વિચારસરણીમાં ઘણો ફેર પડી ગયો
છે.)
શારીરિક મારની વાત બાજુ પર રાખીએ અને ઇતર પ્રકારની શિક્ષાની વાત કરીએ તો તે પણ વિદ્યાર્થીને સ્વછંદી બની જતાં અટકાવવા માટે તે જરૂરી છે. વિદ્યાર્થીઓની એ વય એવી છે. વિદ્યાર્થીઓમાં પણ આ વાત સ્વીકૃત હોય છે. એથી જ કોઈ શિક્ષકે વિદ્યાર્થીને સજા કરી હોય એથી વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે વેર બંધાતું નથી. ઊલટાનું, “સર, યાદ છે તમે મને વર્ગની બહાર કાઢેલો?” અથવા “સાહેબ, ભૂલી ગયા, તમે મને દંડ કરેલો ? ” જેવાં અપ્રિય ઘટનાનાં વાક્યો પ્રસન્નતાપૂર્વક વિદ્યાર્થીઓ દ્વારા યાદ કરાતાં હોય તો તે શિક્ષણના વ્યવસાયમાં જ. શિક્ષક શિક્ષા કરીને ભૂલી જાય છે, પણ વિદ્યાર્થીના જીવનમાં એ એક મહત્ત્વની ઘટના બની રહે છે. એટલા માટે જ વિદ્યાર્થીઓ, શિષ્યો પોતાના ગુરુની આજ્ઞાનું સહજપણે પાલન કરે છે. એમાં શંકા કે તર્ક-કુતર્કને સ્થાન નથી. કાલિદાસે રઘુવંશમાં કહ્યું છે કે યાજ્ઞા |િ|મવિવારેuથા ગુરુજનોની, વડીલોની આજ્ઞા વિશે, તેની યોગ્યાયોગ્યતા વિશે વિચાર કે સંશય કરવાનો ન હોય. તેનો તો તરત અમલ કરવાનો હોય.
કોઈપણ દેશનું લશ્કરી તંત્ર અનુશાસન વિના એક ક્ષણ પણ ચાલે નહિ. સમગ્ર સેનામાં મુખ્ય સેનાધિપતિથી સામાન્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org