________________
अणुसासिओ पण कुप्पिज्जा
ગુરુ કુંભાર શિષ્ય કુંભ હૈ, ઘડ ધડ કાઢે ખોટ અંતર હાથ સહાર દે, બાહર વાહૈ ચોટ
ઘડો ઘડતી વખતે કુંભારનો એક હાથ અંદર હોય છે ને એક હાથ બહાર હોય છે. બહારના હાથથી તે ઘડાને થપાટતો હોય છે. થપાટ મારતી વખતે એનો આશય ઘડાને ભાંગી નાખવાનો નહિ પણ ઘડાનું ખરબચડાપણું દૂર કરવાનો હોય છે. ગુરુ પણ શિષ્યને એ રીતે અંદરથી અને બહારથી ઘડે છે.
શાળા, કૉલેજ કે યુનિવર્સિટીના શૈક્ષણિક ક્ષેત્રમાં શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો સંબંધ એવો છે કે જેમાં શિક્ષક જ્ઞાનદાતા છે ને વિદ્યાર્થી જ્ઞાન ગ્રહણ કરનાર છે. એટલા માટે જ્ઞાનના ક્ષેત્રે વિનય-બહુમાનની અપેક્ષા ઘણી મોટી રહે છે. એમાં પણ ભારતીય પરંપરામાં આ સંબંધનું ગૌરવ ઘણું બધું છે. વળી, આ ક્ષેત્રમાં અનુશાસનની-શિસ્તની પણ એટલી જ અનિવાર્યતા છે. એટલે શિક્ષક વિદ્યાર્થીને માત્ર ગેરશિસ્ત જ નહિ, અભ્યાસની બેદરકારી માટે શિક્ષા કરે તો તે પણ વ્યાજબી જ ગણાય છે. કેટલાક વિચારકોના મતે તો શાળાના નાના વિદ્યાર્થીઓને શારીરિક માર મારવામાં પણ કશું ખોટું નથી. ‘સોટી વાગે ચમ ચમ અને વિદ્યા આવે ઘમ ઘમ' જેવી કહેવતમાં કેટલાકને યથાર્થતા અને ઉપયોગિતા સમજાય છે. નાનપણમાં ભારાડી બની ગયેલા અને માબાપને ન ગાંઠતા છોકરાઓ શિક્ષકના મારથી સીધા દોર થઈ ગયા હોય અને પછીના જીવનમાં તેઓ પોતાના શિક્ષકનો ઉપકાર હંમેશાં યાદ રાખતા હોય એવા
Jain Education International
૧૮૯
For Private & Personal Use Only
www.jainelibrary.org