SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૮૮ વીરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ આવા વાત્સલ્યપૂર્ણ ગુરુ અને શિષ્યનું જેવું અદ્વૈત રચાય છે એવું અદ્વૈત સંસારના અન્ય સંબંધોમાં સામાન્ય રીતે જોવા મળતું નથી. ભારતીય પરંપરામાં જેવું આ અદ્વૈત જોવા મળે છે તેવું અન્ય ધર્મમાં કે પરંપરામાં જોવા નથી મળતું. ગુરુ ભગવંત શિષ્યને શિક્ષા કરે તો તેમાં એમનો હિતકારી વાત્સલ્યભાવ જ રહેલો હોય છે. એટલે ગુરુ તરફથી શિક્ષા થાય તો તેથી શિષ્ય રોષ કરવાનું કશું જ કારણ રહેતું નથી. માટે ભગવાને કહ્યું છે કે શિષ્ય એવે વખતે રોષ ન કરતાં ક્ષમાનો ભાવ ધારણ કરવો. વળી આ શિખામણને અમલમાં મૂકવી હોય તો ક્ષુદ્ર માણસોનો સંસર્ગ છોડી દેવો જોઈએ અને મજાક મશ્કરીનો પણ ત્યાગ કરવો જોઈએ, કારણ કે શુદ્ર માણસોની સોબતથી કે ચડવણીથી શિષ્યના મનમાં ગુરુ પ્રત્યે ચીડ, અભાવ, રોષ પેદા થાય છે. પોતાને યોગ્ય શિક્ષા થઈ હોય ત્યારે સાંત્વન આપનારા માણસો હલકી કોટિના ન હોવા જોઈએ, કારણ કે એમનું સાંત્વન વિષ સમાન હોય ગુરુ જ્યારે શિષ્યને ટોકે છે, અટકાવે છે, ઠપકો આપે છે કે શિક્ષા કરે છે ત્યારે તે પોતાના શિષ્યના દોષો દૂર કરવાને અર્થે જ એટલે કે શિષ્યને પરિપૂર્ણ બનાવવા માટે જ હોય છે. એમના અંતરમાં પોતાના શિષ્યને માટે અપાર લાગણી હોય છે. એટલે જ કબીરે ગુરુને માટે કુંભકારનું અને શિષ્યને માટે કુંભનું રૂપક પ્રયોજીને કહ્યું છેઃ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004557
Book TitleVeerprabhuna Vachano
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy