________________
अणुसासिओ ण कुप्पिज्जा
૧૮૭
ગુરુ અને શિષ્ય ભિન્નભિન્ન કુટુંબમાંથી આવતા હોવા છતાં ઊંચી કક્ષાના ગુરુ-શિષ્ય વચ્ચે પિતા-પુત્રથી પણ અધિક સંબંધ હોય છે. ગુરુ શિષ્યને શિક્ષા કરે તો તે માત્ર હિતબુદ્ધિથી જ કરે છે અને શિષ્યને પણ તે બરાબર લાગે છે. શિક્ષામાં સમતુલા જાળવવી એ ગુરુનું કર્તવ્ય છે. પોતાને થયેલી શિક્ષા માટે શિષ્યના મનમાં રોષ નથી થતો અને ન થવો જોઈએ. શિષ્ય ગુરુને છોડીને ભાગી જાય તો કોઈ એને અટકાવતું નથી, કારણ કે આ કોઈ ભૌતિક સ્વાર્થથી સ્થપાયેલો સંબંધ નથી. ત્યાગ-વૈરાગ્યની ભૂમિકા ઉપર ઉચ્ચત્તર ધાર્મિક-આધ્યાત્મિક ધ્યેયની પ્રાપ્તિ અર્થે સ્વેચ્છાએ આ સંબંધ સ્થપાયો હોય છે. ઉભય પક્ષે બીજાની પાત્રતાનો અગાઉથી વિચાર થઈ ચૂક્યો હોય છે. શિષ્યનો સમર્પણભાવ એમાં મહત્ત્વનું કાર્ય કરે છે. એથી જ ગુરુ-શિષ્યના સંબંધમાં જાતિ, કુલ, ઉમર, રૂપ, વ્યવહારુ શિક્ષણ ઇત્યાદિનો ઘણો ભેદ હોવા છતાં અને કેટલાકમાં ગુરુ કરતાં શિષ્ય ચડિયાતો હોવા છતાં આ સંબંધમાં સંવાદિતા, આનંદ, ઉત્કર્ષની ભાવના ઇત્યાદિ સારી રીતે જળવાયેલાં રહે છે. ગુરુનું શિષ્ય માટે અપાર વાત્સલ્ય ત્યાં સુધી હોય છે કે “મારો શિષ્ય મારા કરતાં સવાયો થાય.' શિષ્યા
છે પરનિયમ્ એ સાચા ગુરુની ભાવના હોય છે. અને શિષ્યનો સમર્પણભાવ ત્યાં સુધી હોય છે કે ગુરુ શિષ્યને સાપના દાંત ગણવાની આજ્ઞા કરે તો પળનો પણ વિલંબ કર્યા વગર કે કશો સંશય કર્યા વગર શિષ્ય એ કરવા તત્પર બની જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org