SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ તંત્ર હોય-દરેક માટે લખ્યા કે વણલખ્યા કેટલાયે નિયમો હોવા જરૂરી છે. અનુશાસન-શિસ્તપાલન વગર કોઈપણ તંત્ર કે વ્યવસ્થા ઝાઝો સમય ટકી ન શકે. ગેરશિસ્તને કારણે કુટુંબોમાં વિખવાદ પેદા થાય, શૈક્ષણિક ક્ષેત્રો શિથિલ થઈ જાય, વેપાર ઉદ્યોગો પાયમાલ થઈ જાય, સરકારી તંત્રમાં સત્તાની ઉથલપાથલ થાય. નાની સરખી રમતગમત માટે પણ બે જણ વચ્ચે નિયમ નક્કી કરવા પડે છે અને આંતરરાષ્ટ્રીય સંગઠનો કે બહુરાષ્ટ્રીય કંપનીઓને પણ નિયમો કરવા જ પડે છે. જેમ માનવજીવનના વિકાસ માટે અનુશાસનની જરૂર છે તેમ બીજી બાજુ નિયમનું મન વગર પાલન કરવું, નિયમમાંથી છટકબારી શોધવી, નિયમનો ભંગ કરીને સ્વેચ્છાએ શિક્ષા ભોગવી લેવી ઇત્યાદિ પ્રકારની મનોવૃત્તિ પણ માનવજાતમાં આદિકાળથી રહેલી છે, કારણ કે સ્વાર્થનો સગુણ કે દુર્ગુણ જીવમાત્રમાં રહેલો છે. એટલા માટે અનુશાસનની સમસ્યાઓ હરેક વખતે હરેક ક્ષેત્રે ભિન્નભિન્ન પ્રકારની રહ્યા કરવાની. એટલા માટે એનું નિરાકરણ વ્યક્તિગત ક્ષેત્રે કે સામૂહિક ક્ષેત્રે કેવી રીતે કરી શકાય તેની વિચારણા હંમેશાં થતી રહે છે અને રહેવી જોઈએ. એમાં કેટલાક ઉપાયો તત્કાલીન હોય છે અને કેટલાક સર્વકાલીન. ધર્મના ક્ષેત્રે ગુરુ-શિષ્યની પરંપરા ભારતીય સંસ્કૃતિમાં જેવી ઉમદા જોવા મળે છે એવી અન્યત્ર જોવા નથી મળતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004557
Book TitleVeerprabhuna Vachano
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy