________________
असासिओ कुपिज्जा
નિયમમાં રહેતાં અથવા પોતાના ઉપર શિસ્તપાલન થતાં. અર્થવિસ્તાર કરીએ તો ‘ગુરુ દ્વારા દંડ કે શિક્ષા થતાં' એવો અર્થ લઈ શકાય.
અનુશાસન એટલે કે શિસ્તપાલન (Discipline)ની આવશ્યકતા જીવનના સર્વ ક્ષેત્ર અને સર્વકાલ માટે છે. મનુષ્યોમાં ઉંમરમાં નાનામોટાપણું સદાકાળ રહેવાનું. એની સાથે શિક્ષણ, ધન, સત્તા, શારીરિક તાકાત અને સુંદરતા ઇત્યાદિનું ઉચ્ચાવચપણું પણ રહેવાનું જ. આવા વૈવિધ્યસભર જીવનમાં સંવાદ (harmony) સ્થાપવા માટે કેટલાક નિયમો બનાવવાની ફરજ પડે જ. એ નિયમોને રાજકીય સ્તરે કાયદાનું સ્વરૂપ આપી શકાય. સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક ઇત્યાદિ સ્તરે પણ નિયમોને વિવિધ પ્રકારનું રૂપ આપી શકાય. જ્યાં નિયમ કે કાયદો હોય ત્યાં બે પ્રશ્નો અવશ્ય ઉપસ્થિત થવાના. એક તે કોઈ કાયદાનો જાણતાં કે અજાણતાં ભંગ કરે તો શું કરવું ? અને બીજું તે પરિસ્થિતિ બદલાય અને નિયમ જૂનો થઈ જાય તો શું કરવું ?
વળી, આ નિયમ કે કાયદાની સત્તા કોને અને કેટલી હોય? એ સત્તાનો ઉપયોગ ન કરે અથવા દુરુપયોગ કરે તો શું કરવું ? અને પરિસ્થિતિ અનુસાર નવા નિયમો કોણ ઘડે અને કોણ મંજૂર રાખે ? આમ આગળ વધતાં વધતાં અનુશાસનના ક્ષેત્રે સેંકડો પ્રશ્નો ઉદ્ભવી શકે. પરંતુ એટલું નિશ્ચિત જ છે કે કુટુંબ હોય કે વિદ્યાના ક્ષેત્રો હોય, ધંધાદારી કંપની હોય કે સરકારી
Jain Education International
૧૮૫
For Private & Personal Use Only
www.jainelibrary.org