SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ असासिओ कुपिज्जा નિયમમાં રહેતાં અથવા પોતાના ઉપર શિસ્તપાલન થતાં. અર્થવિસ્તાર કરીએ તો ‘ગુરુ દ્વારા દંડ કે શિક્ષા થતાં' એવો અર્થ લઈ શકાય. અનુશાસન એટલે કે શિસ્તપાલન (Discipline)ની આવશ્યકતા જીવનના સર્વ ક્ષેત્ર અને સર્વકાલ માટે છે. મનુષ્યોમાં ઉંમરમાં નાનામોટાપણું સદાકાળ રહેવાનું. એની સાથે શિક્ષણ, ધન, સત્તા, શારીરિક તાકાત અને સુંદરતા ઇત્યાદિનું ઉચ્ચાવચપણું પણ રહેવાનું જ. આવા વૈવિધ્યસભર જીવનમાં સંવાદ (harmony) સ્થાપવા માટે કેટલાક નિયમો બનાવવાની ફરજ પડે જ. એ નિયમોને રાજકીય સ્તરે કાયદાનું સ્વરૂપ આપી શકાય. સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક ઇત્યાદિ સ્તરે પણ નિયમોને વિવિધ પ્રકારનું રૂપ આપી શકાય. જ્યાં નિયમ કે કાયદો હોય ત્યાં બે પ્રશ્નો અવશ્ય ઉપસ્થિત થવાના. એક તે કોઈ કાયદાનો જાણતાં કે અજાણતાં ભંગ કરે તો શું કરવું ? અને બીજું તે પરિસ્થિતિ બદલાય અને નિયમ જૂનો થઈ જાય તો શું કરવું ? વળી, આ નિયમ કે કાયદાની સત્તા કોને અને કેટલી હોય? એ સત્તાનો ઉપયોગ ન કરે અથવા દુરુપયોગ કરે તો શું કરવું ? અને પરિસ્થિતિ અનુસાર નવા નિયમો કોણ ઘડે અને કોણ મંજૂર રાખે ? આમ આગળ વધતાં વધતાં અનુશાસનના ક્ષેત્રે સેંકડો પ્રશ્નો ઉદ્ભવી શકે. પરંતુ એટલું નિશ્ચિત જ છે કે કુટુંબ હોય કે વિદ્યાના ક્ષેત્રો હોય, ધંધાદારી કંપની હોય કે સરકારી Jain Education International ૧૮૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004557
Book TitleVeerprabhuna Vachano
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy