SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ अणुसासिओ ण कुप्पिज्जा [અનુશાસિત થતાં (કે શિક્ષા પામતાં) ક્રોધ ન કરવો] ભગવાન મહાવીર જન્મકલ્યાણકના અવસરે એમનાં અનેક વચનોમાંથી આ એક વચનનું સ્મરણચિંતન કરીએ. ભગવાન મહાવીર સ્વામીએ ‘ઉત્તરાધ્યયન’ સૂત્રના ‘વિનય’ નામના પહેલા અધ્યયનમાં શિષ્યના ગુરુ પ્રત્યેના વિનય ઉપર બહુ ભાર મૂક્યો છે અને શિષ્યને વિવિધ પ્રકા૨ની સાચી અને હિતકારી સલાહસૂચના આપી છે. એમાંની એક સલાહ એ છે કે અનુશાસિત થવામાં શિષ્યે ક્યારેય પણ ક્રોધ ન કરવો. એ ગાથા નીચે પ્રમાણે છે: अणुसासिओ ण कुप्पिज्जा खंति सेविज्ज पंडिए । खुड्डेहिं सह संसग्गिं हासं कीडं च वज्जए ।। [ગુરુ દ્વારા અનુશાસિત થતી વખતે (કે શિક્ષા પામતી વખતે) ક્રોધ કરવો નહિ. પંડિત (બુદ્ધિમાન, ડાહ્યા) શિષ્યે ક્ષમા ધારણ કરવી. ક્ષુદ્ર લોકોનો સંસર્ગ ત્યજી દેવો અને હાસ્ય-મજાક તથા એવી ચેષ્ટાઓ છોડી દેવી જોઈએ.] ‘અનુશાસન’ શબ્દમાં ‘શાસન' શબ્દ છે. એ શાસ્ ધાતુ પરથી આવેલો છે. એનો અર્થ થાય છે રાજ્ય કરવું, પ્રભુત્વ ધરાવવું, નિયમમાં કે અંકુશમાં રાખવું, શિક્ષા કરવી. અનુશાસન એટલે શિસ્તપાલન. અનુશાસિત થતાં એટલે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004557
Book TitleVeerprabhuna Vachano
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy