SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ असंविभागी न हु तस्स मोक्खो ૧૮૩ બધા સ્થૂળ સંસ્કાર તો જીવોમાં અનાદિકાળથી રહેલા છે. એ શીખવવા માટે બહુ જરૂર રહેતી નથી. નાનું બાળક પણ પોતાની મનગમતી વસ્તુ લઈને તરત રાજી થઈ જાય છે. બીજાને આપવાનું બાળકને શીખવાડવું પડે છે. પોતાનું એક જ રમકડું હોય તો પણ બાળક રાજીખુશીથી બીજા બાળકને તે રમવા આપી શકે તો સમજવું કે તેમનામાં સંવિભાગનો ગુણ ખીલ્યો છે. આ ગુણ કેટલીક વાર ખીલ્યો હોવા છતાં સંજોગો બદલાતા ઢંકાઈ જાય છે કે ઘસાઈ જાય છે. પરંતુ વિપરીત સંજોગોમાં પણ એ ગુણ ટકી રહે એ જ એની મહત્તા છે. એ ગુણ જેમ જેમ વિકસતો જાય તેમ તેમ બીજા જીવો પ્રતિ ઉદારતા, સમાનતા વગેરે પ્રકારના ભાવો વિકસતા જાય છે. આવા ગુણો જેમ જેમ વિકસતા જાય તેમ તેમ તેની સાથે સંલગ્ન એવા અન્ય ગુણ પણ વિકસતા જાય છે. ગુણવિકાસ એ આધ્યાત્મિક વિકાસની પૂર્વભૂમિકા છે. બીજા જીવો પ્રત્યે આત્મોપમયની ભાવના જ્યાં સુધી ન આવે ત્યાં સુધી “સર્વ જીવ એ સિદ્ધસમ' એવી દૃષ્ટિ અંતરમાં સ્થિર ન થાય. એ સ્થિર ન થાય ત્યાં સુધી આધ્યાત્મિક વિકાસની શક્યતા નથી. જો એ ન હોય તો પછી મોક્ષપ્રાપ્તિની તો શક્યતા જ ક્યાંથી? એટલા માટે જ ભગવાન મહાવીરે યથાર્થ જ કહ્યું છે કે અસંવિભાગી વ્યક્તિનો મોક્ષ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004557
Book TitleVeerprabhuna Vachano
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy