________________
૧૮ ૨
વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨
આવ્યાં વગર રહેતાં નથી. એટલા માટે જ ભગવાન મહાવીરે કહ્યું છે કે જે દાન આપતો નથી, અસંવિભાગી છે, સંગ્રહખોર છે, અપ્રમાણભોગી છે તે નૈતિક દૃષ્ટિએ સમાજનો ચોર છે. તે અસ્તેય-અચોર્ય નામના મહાવ્રતનો ભંગ કરનારો છે. તે મોક્ષનો અધિકારી નથી.
વર્તમાન સમયમાં ચારે બાજુ સંઘર્ષ, કલેશ, દ્વેષ, હિંસા અને અશાંતિનું વાતાવરણ વધતું હોય તેવું જોવા મળે છે. મનુષ્યની વ્યક્તિગત, કૌટુંબિક, સામાજિક કે રાષ્ટ્રીય સ્તરે રહેલી સંકુચિત સ્વાર્થવૃત્તિને કારણે આ સંઘર્ષમય અશાંત સ્થિતિ સર્જાય છે. જ્યાં જ્યાં ઉદારતા છે, પ્રેમભાવ છે, સહિષ્ણુતા છે, સહકાર છે ત્યાં ત્યાં શાંતિ અને સરળતા પ્રત્યક્ષ જોવા મળે છે. મનુષ્ય પોતાના દેશ, જાતિ, ભાષા અને ધર્મના સંકુચિત કોચલામાંથી બહાર આવી મનુષ્યમાત્રને માનવતાની દૃષ્ટિએ નિહાળે, ભૌતિક ભેદો એની દૃષ્ટિમાંથી વિગલિત થઈ જાય તો જીવન તેને માટે સ્વર્ગ જેવું બની શકે છે. માત્ર માનવતાની ભાવના કે મનુષ્ય પ્રેમની ભાવના આગળ જ અટકી ન જતાં પશુ-પંખીઓ સહિત સર્વ જીવો પ્રતિ જે લોકો પોતાની આત્મચેતનાનો વિસ્તાર અનુભવે છે તેઓને તો સૂક્ષ્મ આધ્યાત્મિક અનુભૂતિનો અવર્ણનીય આનંદ માણવા મળે છે.
સંવિભાગની ક્રિયા પૂળ હોય તો પણ તેના સંસ્કાર ઊંડા પડે છે. માણસમાં દાન અને દયાનો ગુણ વિકાસ પામે છે. ગ્રહણ કરવું, મેળવવું, પ્રાપ્તિથી રાજી થવું, ઝૂંટવી લેવું-એવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org