SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ असंविभागी न हु तस्स मोक्खो ખવડાવીને પછી પોતે ખાય છે. આ ભાવનાનો રૂઢાચાર તો એટલી હદ સુધી થયો કે પોતે કુટુંબના સભ્યોની સંખ્યાનુસાર માપીને રસોઈ કરે છે અને જરા પણ રસોઈ વધવી ન જોઇએ એવી વાત પોતાના ઘરમાં ન થવી જોઇએ. એટલા માટે સ્ત્રીઓ રોટલી કે રોટલો કરતી વખતે એક નાની ચાનકી વધારાની કરતી હોય છે. એનો અર્થ એ થયો કે પોતે માપીમાપીને રસોઈ કરી નથી. આ ચાનકી એ સંવિભાગનું પ્રતીક છે. સમાજમાં કેટલાયે એવા ઉદારચિત્ત મહાનુભાવો હોય છે કે જેમને પોતાને ઘે૨ કોઈ મહેમાન જમનાર ન હોય તો આનંદ ન થાય. હજુ પણ ગુજરાત, રાજસ્થાન અને બીજા પ્રદેશોમાં કેટલાયે એવા જૈન છે કે જેમનો રોજનો નિયમ છે કે રેલવે સ્ટેશન ૫૨ જઈ કોઈક અજાણ્યા સાધર્મિક ભાઈને જમવા માટે પોતાના ઘરે તેડી લાવે અને એમને જમાડ્યા પછી પોતે જમે. જે દિવસે એવી કોઈ વ્યક્તિ ન મળે તો તે દિવસે એમને ઉપવાસ થાય. વહેંચીને ખાવાના સિદ્ધાંતમાં સમાજવાદનાં મૂળ રહેલાં છે. સમાજના દરેક નાગરિકને આજીવિકાના અને ઉપભોગના એકસરખા હક્ક મળવા જોઈએ અને એકસરખી તક મળવી જોઈએ. આ એક આદર્શ ભૂમિકા છે. જ્યાં આ સ્વરૂપ સચવાતું નથી અને જ્યાં સમાજનો એક વર્ગ અતિશય ધનસંપત્તિ એકત્ર કરીને એશઆરામ કરે છે અને એ જ સમાજનો બીજો વર્ગ પેટનો ખાડો પૂરો કરવા દિવસ-રાત કાળી મજૂરી કરે છે એ સમાજમાં ઝઘડા-કલેશ, સંઘર્ષ, ખૂન, વર્ગવિગ્રહ ઇત્યાદિ Jain Education International For Private & Personal Use Only ૧૮૧ www.jainelibrary.org
SR No.004557
Book TitleVeerprabhuna Vachano
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy