SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ કારણે મનુષ્યમાંથી આ “અતિથિદેવો ભવ'ની ભાવના ઘણી ઘસાતી ચાલી છે. વર્તમાન વિભક્ત જીવનવ્યવસ્થા અને ઘરકામના ભારને લીધે પણ આ ભાવના લુપ્ત થવા લાગી છે. ઘેર અચાનક અજાણ્યા મહેમાન આવે અને પોતે રાજી રાજી થાય એવું હવે કેટલાં ઓછાં સ્ત્રી-પુરુષોની બાબતમાં જોવા મળે છે ! એમાં વ્યક્તિના દોષ કરતાં પરિસ્થિતિનો દોષ વધુ મોટો છે. અન્ય દેશોની જીવનપ્રણાલિકાનો પ્રભાવ ભારતીય જીવનપ્રમાલિકા ઉપર ઘણો પડ્યો છે તો બીજી બાજુ ભારતીય અતિથિ-ભાવનાનો દુરુપયોગ પણ ઘણો થયો છે. એટલે આમ બનવું સ્વાભાવિક છે. તેમ છતાં અતિથિ-સંવિભાગની ભાવના હૃદયમાં અવશ્ય સંઘરી રાખવા જેવી છે. પોતાના આહારમાંથી સાધુસંતોને ભિક્ષા-ગોચરી આપવાની ભાવનાનું રોજેરોજ પોષણસંવર્ધન કરવા જેવું છે. આંગણે આવતા અતિથિઓ-અભ્યાગતોમાં સર્વોચ્ચ સ્થાન સાચા સાધુસંતોને આપવા જેવું છે. ભારતમાં કેટલાય લોકોને રોજનો એવો નિયમ હોય છે કે પોતાના ભોજનમાં કોઈકને સહભાગી બનાવવા જોઈએ. રોજેરોજ તો મહેમાનો ક્યાંથી હોય ? તો પણ પોતાનું રાંધેલું ફક્ત પોતે જ ખાવું એ તો નરી સ્વાર્થી સંકુચિત વૃત્તિ ગણાય. એટલે ઇષ્ટદેવને પ્રતીકરૂપે કંઈક અર્પણ કરી, યજ્ઞમાં કંઈક આહુતિ આપીને પછી જમવાની પ્રથા હિંદુ પરંપરામાં છે. એવી જ રીતે કેટલાયે લોકો રોજેરોજ પહેલાં શેરીમાં ગાય કે કૂતરાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004557
Book TitleVeerprabhuna Vachano
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy