________________
૧૮૦
વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨
કારણે મનુષ્યમાંથી આ “અતિથિદેવો ભવ'ની ભાવના ઘણી ઘસાતી ચાલી છે. વર્તમાન વિભક્ત જીવનવ્યવસ્થા અને ઘરકામના ભારને લીધે પણ આ ભાવના લુપ્ત થવા લાગી છે. ઘેર અચાનક અજાણ્યા મહેમાન આવે અને પોતે રાજી રાજી થાય એવું હવે કેટલાં ઓછાં સ્ત્રી-પુરુષોની બાબતમાં જોવા મળે છે ! એમાં વ્યક્તિના દોષ કરતાં પરિસ્થિતિનો દોષ વધુ મોટો છે. અન્ય દેશોની જીવનપ્રણાલિકાનો પ્રભાવ ભારતીય જીવનપ્રમાલિકા ઉપર ઘણો પડ્યો છે તો બીજી બાજુ ભારતીય અતિથિ-ભાવનાનો દુરુપયોગ પણ ઘણો થયો છે. એટલે આમ બનવું સ્વાભાવિક છે. તેમ છતાં અતિથિ-સંવિભાગની ભાવના હૃદયમાં અવશ્ય સંઘરી રાખવા જેવી છે. પોતાના આહારમાંથી સાધુસંતોને ભિક્ષા-ગોચરી આપવાની ભાવનાનું રોજેરોજ પોષણસંવર્ધન કરવા જેવું છે. આંગણે આવતા અતિથિઓ-અભ્યાગતોમાં સર્વોચ્ચ સ્થાન સાચા સાધુસંતોને આપવા જેવું છે.
ભારતમાં કેટલાય લોકોને રોજનો એવો નિયમ હોય છે કે પોતાના ભોજનમાં કોઈકને સહભાગી બનાવવા જોઈએ. રોજેરોજ તો મહેમાનો ક્યાંથી હોય ? તો પણ પોતાનું રાંધેલું ફક્ત પોતે જ ખાવું એ તો નરી સ્વાર્થી સંકુચિત વૃત્તિ ગણાય. એટલે ઇષ્ટદેવને પ્રતીકરૂપે કંઈક અર્પણ કરી, યજ્ઞમાં કંઈક આહુતિ આપીને પછી જમવાની પ્રથા હિંદુ પરંપરામાં છે. એવી જ રીતે કેટલાયે લોકો રોજેરોજ પહેલાં શેરીમાં ગાય કે કૂતરાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org