SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ अपुच्छिओ न भासेज्जा, भासमाणस्स अंतरा । ૨૪૫ માયામૃષાનો ત્યાગ કરવો) ઉત્તરાધ્યયનસૂત્રના “વિનયશ્રુત” અધ્યયનમાં પણ આ જ અર્થમાં ભગવાને કહ્યું છેઃ णापुट्ठो वागरे किंचि, पुट्ठो वा णालियं वए । એટલે કે વિનીત શિષ્ય ગુરુના પૂછયા સિવાય કંઈ બોલવું નહિ અને પૂછે તો અસત્ય ન બોલવું. ગુરુ મહારાજ જ્યારે કોઈની સાથે વાત કરતા હોય ત્યારે શિષ્ય વચ્ચે ન બોલવું જોઈએ. ગુરુ મહારાજ પૂછે અથવા બોલવાનું કહે તો જ બોલવું જોઈએ. સરળ સુસંવાદી જીવનવ્યવહાર અને વિનયપૂર્વકના સંયમજીવન માટે એ બહુ જરૂરી છે. શિષ્ય જો વગર પૂછ્યું બોલે તો કોઈકની વાત છતી થઈ જવાનું જોખમ છે, જે બોલવા જેવી ન હોય કે જાહેરમાં મૂકવા જેવી ન હોય. વળી વચ્ચે બોલવાથી વાતનો તંતુ તૂટી જાય છે, વિષયાંતર થવાનો સંભવ રહે છે અને અન્ય વ્યક્તિ ઉપર ખોટી છાપ પડવાનો સંભવ રહે છે. કોઈ વાતની સ્પષ્ટતાની જરૂર હોય કે કંઈ માહિતી જોઈતી હોય તો ગુરુ મહારાજ પોતે જ શિષ્યને પૂછી લે છે એટલે શિષ્ય વગર પૂજ્ય બોલવાની આવશ્યક્તા નથી. વળી એક વખત શિષ્યને વગર પૂછળે બોલવાની ટેવ પડી જાય તો શિષ્યમાં અવિનય આવવા લાગે છે. પોતે ગુરુભગવંત કરતાં હોંશિયાર અને વધુ જાણકાર છે એવું અભિમાન આવી જવાનો પણ સંભવ રહે છે. જીવનને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004557
Book TitleVeerprabhuna Vachano
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy