SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ co વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ હાસ્યનો સમાવેશ નવ નો–કષાયમાં કરવામાં આવ્યો છે અને તેમાં પણ હાસ્યને પહેલું સ્થાન આપવામાં આવ્યું છે. ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાયોમાં જેટલી ઉગ્રતા છે એટલી ઉગ્રતા હાસ્યમાં નથી. એથી જ એને નો-કષાયમાં સ્થાન આપવામાં આવ્યું છે, અને તે પણ પહેલું જ સ્થાન છે. એનો અર્થ એ થયો કે હાસ્ય પણ અશુભ કર્મ બાંધવામાં મોટું નિમિત્ત બની શકે છે. એટલે જ સંયમી જીવન માટે હાસ્યને વર્જ્ય ગણવામાં આવે છે. હાસ્યથી સંયમજીવનને કેટલું નુકસાન થાય છે તેનો એક પ્રસંગ શાસ્ત્રગ્રંથોમાં આવે છે. પ્રાચીન સમયમાં એક મુનિ મહારાજ ઇરિયાવહીનો કાઉસગ્ગ કરી રહ્યા હતા. તે સમયે તેઓ ભાવવિશુદ્ધિની એવી ઉચ્ચધારાએ ચડી ગયા કે તેમને અવધિજ્ઞાન પ્રગટ થયું. અવધિજ્ઞાનથી તેમને સૌધર્મ દેવલોક દેખાયો. એમાં એમને દેખાયું કે ઇન્દ્ર પોતાની ઇન્દ્રાણીને મનાવવા ઘણા કાલાવાલા કરી રહ્યા હતા. ઇન્દ્ર જેવા ઈન્દ્રને આવું કરતા જોઈને મુનિમહારાજથી કાઉસગ્નમાં ખડખડાટ હસી પડાયું. પરંતુ આવા હાસ્યથી એમનું અવધિજ્ઞાન ચાલ્યું ગયું. એમણે ફરીથી સૌધર્મ દેવલોક જોવા પ્રયાસ કર્યો પણ તે દેખાયો નહિ. પોતાના હાસ્યને માટે એમને પસ્તાવો થયો. હાસ્યથી કેવું નુકસાન થાય છે ! જે પ્રસંગે પૂરું ગાંભીર્ય જાળવવાની અપેક્ષા હોય ત્યાં તો હસવાની વાત ન જ કરી શકાય. કેટલાક લોકોમાં એ જાતનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004557
Book TitleVeerprabhuna Vachano
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy