SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ नातिवेलं हसे मुणी ૯૧ વિવેક હોતો નથી. હાસ્યની વૃત્તિ એવી છે કે તે માણસ પાસે વિવેક ચૂકવાવી દે છે. શોકના કે દુઃખના પ્રસંગો હોય ત્યાં માણસે ન હસવું જોઇએ. કેટલાકની હાસ્યવૃત્તિ એટલી પ્રબળ હોય છે કે ગંભીર પ્રસંગે પણ તે હસ્યા વગર રહી શકતા નથી. એક અંગ્રેજ નેતા માટે ચર્ચિલે કહ્યું હતું કે He runs the risk of being most humourous when he wishes to be most serious.' હાસ્યના પ્રકારોમાં સામાન્ય સ્મિતથી ખડખડાટ હાસ્ય સુધીની ઘણી જુદી જુદી કક્ષાઓ હોય છે. એના છ પ્રકાર આ રીતે ગણાય છેઃ (૧) સ્મિત, (૨) હસિત, (૩) વિકસિત, (૪) ઉપહસિત, (૫) અપહસિત અને (૬) અતિહસિત. સ્મિતમાં પણ આંખોનું સ્મિત ઉત્તમ પ્રકારનું, હોઠનું સ્મિત મધ્યમ પ્રકારનું અને દાંતનું સ્મિત કનિષ્ઠ પ્રકારનું ગણાય છે. સ્મિતમાં ગૌરવ છે. વિસંગતિનો અચાનક થતો અર્થબોધ માણસને ખડખડાટ હસતો કરી દે છે. હાસ્યનું શાસ્ત્ર એવું છે કે જેટલું જરૂરી હોય એથી વધારે જો ખડખડાટ હસવામાં આવે તો તે ગ્રામ્યતામાં સરી પડે છે. વળી જે વાતમાં માત્ર સ્મિત જ ફરકાવવાનું હોય ત્યાં કોઈ ખડખડાટ હસે તો તે માણસની અબુધતાને તથા ગ્રામ્યતાને છતી કરે છે. કહેવાય છે કે મૂર્ખ માણસ બે વખત હસે, એક બધાંની સાથે અને પછી પોતાને જ્યારે અર્થ સમજાય ત્યારે. હાસ્યમાં પ્રમાણભાન સૌથી મહત્ત્વનું છે. હાસ્ય ક્યારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004557
Book TitleVeerprabhuna Vachano
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy