SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ પોતાની મર્યાદા ઓળંગી જશે એ કહી શકાય નહિ. હસનાર કે હસાવનાર એ બેમાંથી કોઈ એ વિશે સાચી આગાહી ન કરી શકે. એટલા માટે જ મર્યાદામાં હસવા ઉપર અતિશય ભાર મૂકવામાં આવ્યો છે. તેથી જ કહેવાયું છે A sense of humour is a sense of proportion. સાધુની પાસે પ્રસન્નતાનો ઉત્તમ ગુણ એટલો બધો ખીલેલો હોવો જોઇએ કે તેમના શાંત અને ધીરગંભી વદન ઉપર પ્રસન્નતાની રેખાઓ સ્મિતની રેખાઓ તરીકે કામ કરે. એ રેખાઓ એવી ઉત્કૃષ્ટ કોટિની હોવી જોઇએ કે એમની પાસે આવીને વાત કરનારને કે દૂરથી એમનાં દર્શન કરનારને માટે તે પ્રેરણારૂપ બની રહે. ગૌરવ એ સાધુનું ભૂષણ છે. ગાંભીર્ય દ્વારા ગૌરવ જળવાય છે, હાસ્ય દ્વારા નહિ. બહુ હસતા-હસાવતા મશ્કરા માણસની સમાજમાં એકંદરે અને લાંબે ગાળે ઓછી કિંમત અંકાય છે. કહેવાય છે ઇંસિયાં રોષ પર, ગુણ ગાવે, હિના રે, સાધુ-ભગવંતોને માથે જો વ્યાખ્યાન દ્વારા ઉપદેશ આપવાની જવાબદારી હોય તો એમણે પૂરું ગાંભીર્ય સાચવવું જોઈએ અને પોતાના ગૌરવને ખંડિત થવા દેવું ન જોઈએ, નહિ તો તેમના ઉપદેશની ધારેલી અસર થાય નહિ. વ્યાખ્યાન વગેરેની જવાબદારી ન હોય તો પણ સાધુનું ચારિત્ર સુવાસમય, પ્રેરક અને ઉદાહરણરૂપ હોવું જોઈએ. વધુ પડતું હસવાથી, અમર્યાદ ખડખડાટ હસ્યા કરવાથી સાધુમાં વિવેકનો અભાવ છે એવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004557
Book TitleVeerprabhuna Vachano
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy