________________
૯૨
વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨
પોતાની મર્યાદા ઓળંગી જશે એ કહી શકાય નહિ. હસનાર કે હસાવનાર એ બેમાંથી કોઈ એ વિશે સાચી આગાહી ન કરી શકે. એટલા માટે જ મર્યાદામાં હસવા ઉપર અતિશય ભાર મૂકવામાં આવ્યો છે. તેથી જ કહેવાયું છે A sense of humour is a sense of proportion.
સાધુની પાસે પ્રસન્નતાનો ઉત્તમ ગુણ એટલો બધો ખીલેલો હોવો જોઇએ કે તેમના શાંત અને ધીરગંભી વદન ઉપર પ્રસન્નતાની રેખાઓ સ્મિતની રેખાઓ તરીકે કામ કરે. એ રેખાઓ એવી ઉત્કૃષ્ટ કોટિની હોવી જોઇએ કે એમની પાસે આવીને વાત કરનારને કે દૂરથી એમનાં દર્શન કરનારને માટે તે પ્રેરણારૂપ બની રહે.
ગૌરવ એ સાધુનું ભૂષણ છે. ગાંભીર્ય દ્વારા ગૌરવ જળવાય છે, હાસ્ય દ્વારા નહિ. બહુ હસતા-હસાવતા મશ્કરા માણસની સમાજમાં એકંદરે અને લાંબે ગાળે ઓછી કિંમત અંકાય છે. કહેવાય છે ઇંસિયાં રોષ પર, ગુણ ગાવે, હિના રે, સાધુ-ભગવંતોને માથે જો વ્યાખ્યાન દ્વારા ઉપદેશ આપવાની જવાબદારી હોય તો એમણે પૂરું ગાંભીર્ય સાચવવું જોઈએ અને પોતાના ગૌરવને ખંડિત થવા દેવું ન જોઈએ, નહિ તો તેમના ઉપદેશની ધારેલી અસર થાય નહિ. વ્યાખ્યાન વગેરેની જવાબદારી ન હોય તો પણ સાધુનું ચારિત્ર સુવાસમય, પ્રેરક અને ઉદાહરણરૂપ હોવું જોઈએ. વધુ પડતું હસવાથી, અમર્યાદ ખડખડાટ હસ્યા કરવાથી સાધુમાં વિવેકનો અભાવ છે એવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org