SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ नातिवेलं हसे मुणी ૯૩ છાપ પડે છે અને પરિણામે એમનું સંયમ–જીવન વગોવાય છે અને બીજાને માટે પ્રેરણારૂપ બનતું નથી. સાધુએ ગૃહસ્થ જીવનનો ત્યાગ કર્યો હોય છે. એથી એમની જીવનનિર્વાહની જવાબદારી સમાજને માથે આવે છે. સમાજ એટલી જ જવાબદારી હોંશપૂર્વક ઉઠાવે છે કે જ્યાં એને સંયમથી સુવાસિત થયેલા સાધુના જીવનની પ્રતીતિ થતી હોય. જે એવા સાધુ નથી હોતા એમના જીવન-નિર્વાહની જવાબદારી બોજારૂપ લાગે છે. કેટલાક ગૃહસ્થો એમાંથી છૂટવાનો પણ પ્રયત્ન કરે તો તે સમજી શકાય એવી વાત છે. જે સાધુઓ આત્મમગ્ન છે, આત્મજ્ઞાની છે તેઓને તો અંદરથી શાન્ત રસના આનંદનો ફુવારો એટલો બધો ઊઠતો હોય છે કે એમને પછી બહારનો માત્ર હાસ્યરસ નહિ, બધા જ રસો નિરર્થક લાગે છે. ભોજનના ષસ હોય કે કવિતાના પરસ હોય, એ બધા એમને માટે રસહીન બની જાય છે. ઉચ્ચ સાધુ મહાત્માઓ માટે તો ઉપશમયુક્ત, અનુભવજ્ઞાનનો શાંત સુધારસ રસનો રાજા બની રહે છે. તેઓને માટે તો એ જ રસ હૈ : હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004557
Book TitleVeerprabhuna Vachano
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy