________________
मायने असणपाणस्स
[ખાનપાનની માત્રાના જાણકારી શ્રમણ ભગવાન મહાવીરે જૈન સાધુઓના બાવીસ પરીષહ (કખ) સહન કરવા વિશે ઉત્તરાધ્યયન સૂત્રમાં સચોટ ઉપદેશ આપ્યો છે. આ બાવીસ પરીષહમાં સૌથી પ્રથમ સ્થાન “સુધા પરીષહને આપવામાં આવ્યું છે. સુધા પરીષહ સહન કરનારા સાધુઓને માટે તેમણે કહ્યું છે કે તેઓ ખાનપાનની માત્રાના, મર્યાદાના પણ જાણકાર હોવા જોઈએ. સુધા પરીષહની ગાથા આ પ્રમાણે છે.
कालीपव्वंगसंकासे किसे धमणिसंतए ।
मायने असणपाणस्स अदीणमणसो चरे ॥ [ભૂખથી સુકાઈને શરીર કાનજંઘા (એક પ્રકારનો છોડ અથવા કાગડાની ટાંગ) જેવું પાતળું થઈ જાય, શરીરની ધમનીઓ ઢીલી પડી જાય તો પણ ખાનપાનની માત્રાના જાણકાર (ગાયત્ર અથવા મફિન્ન એટલે માત્રજ્ઞ) એવા મુનિઓ અદીનભાવથી વિચરે.]
જે મુનિઓ પોતાના ખાનપાનની મર્યાદાને જાણે છે તેઓને દીનતાનો, લાચારીનો, પરવશતાનો અનુભવ થતો નથી. જે માણસો પોતાના ખાનપાનને બરાબર જાણતા નથી તે માણસો રોગ વગેરે થતાં પરવશ, દીન, લાચાર બની જાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org