SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ नातिवेलं हसे मुणी ૮૯ અલ્પોક્તિ ક્યારેક અસત્યકથન સુધી પહોંચી જવાનો સંભવ છે. સાધુઓએ “સત્ય”નું મહાવ્રત ધારણ કરેલું હોય છે, એટલે તેઓએ હસવા-હસાવવામાં પોતાના મહાવ્રતનું ખંડન ન થાય અથવા કોઈ અતિચારનો દોષ ન લાગે એ માટે પૂરી સાવધાની રાખવી જરૂરી છે. હળવી રીતે બોલાયેલી વાત ક્યારેક ગંભીર રીતે લેવાય છે તો ક્યારેક નથી લેવાતી. એમાં ગંભીર આશય ન સમજનારનો દોષ કાઢી શકાતો નથી. માણસ બચાવ કરી શકે છે કે “હું તો એમ સમજતો હતો કે તમે હસતા હતા, મજાક કરતા હતા. મને શી ખબર કે તમે સાચે જ કહેતા હતા.” આમ હસીને, મજાકમાં કહેવા જતાં અર્થનો અનર્થ પણ થઇ શકે છે. એવી રીતે બોલવા જતાં સાધુને તો માયા–મૃષાવાદનો બમણો દોષ લાગી શકે છે. સાધુઓએ અને સાધ્વીઓએ વિજાતીય વ્યક્તિ સાથે બહુ હસીને વાત ન કરવી જોઈએ. હાસ્ય બે વ્યક્તિને પરસ્પર નિકટ લાવનારું તત્ત્વ છે. એ નિકટતા સાથે ચહેરાના હાવભાવોમાં અને આંખોમાં થતા પરિવર્તનને કારણે પરસ્પર આકર્ષણ પણ જન્મે અથવા પોતાના દુષ્ટ આશયને હાસ્યના ઓઠા હેઠળ છુપાવી શકાય. ગૃહસ્થ સ્ત્રીઓ માટે પણ એવી શિખામણ અપાય છે કે તેઓએ પરપુરુષ સાથે બહુ હસીને વાત ન કરવી જોઈએ, કારણ કે એથી એમના ચોથા મહાવ્રતને દૂષણ લાગે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004557
Book TitleVeerprabhuna Vachano
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy