________________
વીરપ્રભુનાં વચનો ભાગ ૧-૨
કે મર્મને ઘાત કરનાર બની શકે છે. બોલનારનો આશય જરા પણ ખરાબ નથી હોતો, પણ તેનું અર્થઘટન ખરાબ રીતે થઈ શકે છે. બીજી બાજુ કેટલાક માણસો એટલા બધા ચતુર હોય છે કે હસતાં હસતાં બીજાને સાચું કડવું સંભળાવી દે છે કે જે સાંભળનારને અપ્રિય લાગે છે. આથી હાસ્યની સાથે ગે૨સમજ થવાનો સંભવ રહે છે. માટે સાધુઓએ હાસ્યનો આશ્રય લેવો ન જોઇએ. હાસ્યને કારણે એમના અહિંસાના મહાવ્રતને દૂષણે લાગવાનો સંભવ છે.
८८
હાસ્ય ક્યારે દંશીલું બની જાય તે કહી શકાય નહિ. પોતાના મનમાં રહેલા ડંખને હસતાં હસતાં વ્યક્ત કરી દેવાની કલા કેટલાક ચતુર માણસોને હસ્તગત (જિહ્વાગત) હોય છે. ક્યારેક બોલનારના મનમાં દંશ ન હોય, પણ ત્રીજા જ લોકો એમાં દેશ રહેલો છે એવો આરોપ લગાવી ઈર્ષ્યાથી બે વ્યક્તિને લડાવી મારે છે. સાધુઓને માથે આવું દોષારોપણ ન આવે એ માટે પણ તેઓએ આવી મજાક-મશ્કરીથી દૂર રહેવું જોઈએ. તદુપરાંત સાધુઓએ બીજાને ઉતારી પાડવાના આશયથી બોલાતા ઉપહાસ કે પરિહાસના પ્રકારના હાસ્યનો આશ્રય ન લેવો જોઇએ.
હસવા-હસાવવામાં કેટલીક વાર અતિશયોક્તિ કે અલ્પોક્તિનો આશ્રય લેવો પડે છે. અતિશયોક્તિ કે અલ્પોક્તિ એ બંનેમાં સત્યનું આંશિક ખંડન થાય છે. એમાં અસત્યકથનનો આશય નથી હોતો, પરંતુ અતિશયોક્તિ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org