SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ नातिवेलं हसे मुणी બે સ્થિતિ વચ્ચે પણ ફરક છે. આમ તો જો કે જૈન મુનિઓને મહિલા સાથે એકાંતમાં વાત કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. તો પણ કેટલીક વાર એવી પરિસ્થિતિ ઊભી થાય છે કે જૈન મુનિ આગળ કોઈ એક જ મહિલા વંદન કરવા, સુખશાતા પૂછવા, પચ્ચખાણ લેવા, કોઈકના કંઈક સમાચાર આપવા એકલી આવી હોય. એવા સંજોગો કોઈક વખત ઊભા થાય કે ઉપાશ્રય કે સ્થાનકમાં એક કરતાં વધુ સાધુઓ બિરાજમાન હોય ત્યારે કોઈ એક સાધુ પાસે કોઈ એક સ્ત્રી આવીને બેસે તો એ મળવાનું બીજી રીતે તો જાહેર જેવું જ ગણાય, કારણ કે અન્ય સાધુઓની ઉપસ્થિતિમાં અને તેઓની નજર પડે એ રીતે મળવાનું થાય છે. તો પણ અન્ય કોઈ ન સાંભળે એવી રીતે અંગત વાત કરવાનો અવકાશ તો ત્યારે મળે જ છે. એવે વખતે સાધુએ ખપ પૂરતી જ વાત કરવી જોઈએ અને હસવાનું તો અવશ્ય ટાળવું જોઈએ. હાસ્યરસ નિર્દોષ આનંદ આપનારો છે તેમ છતાં હાસ્યરસનું એક મોટું ભયસ્થાન છે કે જો તે મર્યાદા ઓળંગે તો પોતાનું ગૌરવ ગુમાવી દે છે, કારણ કે અનૌચિત્ય એ હાસ્યરસનો વિભાવ છે. સામાન્યતામાં સરી પડવું, ગૌરવહીન બની જવું એ સાધુ માટે યોગ્ય ન ગણાય. એટલા માટે પણ સાધુએ હસવામાં બહુ સાવધાની રાખવાની અપેક્ષા રહે છે. હાસ્ય એક પક્ષે હોવા છતાં બીજે પક્ષે તે લાગણી દુભાવનાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004557
Book TitleVeerprabhuna Vachano
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy