SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ मायने असणपाणस्स ૧૦૩ હોય તો તેની અસર રસોઈ ઉપર થાય છે. રજસ્વલા સ્ત્રીઓ રસોઈ કરે તો તેની માઠી અસર પણ થાય છે. કેટલાંક મરજાદી લોકો બીજાના ઘરનું રાંધેલું ખાતા નથી. કેટલાક પુરુષો ઘરમાં પત્ની હોય છતાં જીવનભર સ્વયંપાકી રહ્યા હોય એવા દાખલા ભારતમાં સાંભળ્યા છે. માણસની ખાવાની શક્તિ અને વૃત્તિ અમર્યાદ છે. માણસ રોજ રોજ વધારે ખાતો જાય તો તેની હોજરી મોટી થતી જાય છે અને પેટ ગાગર જેવું ગોળમટોળ બનતું જાય છે. સ્વાદવૃત્તિ ઉત્તેજિત થાય એવી વાનગીઓનું વૈવિધ્ય હોય તો માણસ રોજ કરતાં વધુ ખાઈ લે છે. “શાકે સવાયું, દૂધે દોઢું અને મિષ્ટાન્ને બમણું' ખવાય છે એવી માન્યતા જૂના વખતમાં પ્રચલિત હતી. વળી ‘દૂધ અને રોટલા, દહીં અને ભાત લાડવા અને વાલ, ખાવ મારા લાલ.” આવી લોકોક્તિઓ કઈ વાનગી સાથે કઈ વાનગી વધારે ભળે અને ભાવે તે દર્શાવે છે. કોઈ પણ પ્રજાની આર્થિક સમૃદ્ધિ વધતી ચાલે છે તેમ તેમ ખાનપાનના શોખ વધવા લાગે છે. આજે ધનાઢ્ય દેશોમાં સરખેસરખા માણસોની મંડળી જામી હોય તો તેમની વાતચીતના વિષયોમાં Food અને Motorcar એ બે વિષયો અગ્રસ્થાને હોય છે. નવરા શ્રીમંત માણસોને નવું નવું ખાવાનો શોખ જાગે છે અને તેમને પોસાય પણ છે. પરંતુ વખત જતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004557
Book TitleVeerprabhuna Vachano
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy