________________
૩૩૦
વીરપ્રભુનાં વચનો ભાગ ૧-૨
છે એ જોવા જ તેઓ આવે છે.’
કુશીલતાનું પોષણ કરીને કમાણી ક૨વા માટે લોકો કેવી કેવી તરકીબો કરે છે !
દુનિયામાં અનાચાર માટેનાં સાધનસગવડો વધતાં જાય છે. આપણી જૂની ગ્રામપદ્ધતિમાં બે વિજાતીય વ્યક્તિને એકાંત જોઈતું હોય તો પણ ન મળે. તળાવ કિનારે કે ખેતરમાં જાય તો પણ જતાં આવતાં પકડાઈ જાય. હવે દુનિયામાં વસતિ વધી છે. મોટા ઘરોમાં ઘણા કમરા હોય છે. કોઈની પૂછપરછ હોતી નથી. એટલે વ્યભિચાર માટે ઘરોમાં જ સગવડો વધી છે. વળી દુનિયાભરમાં નાનાં ગેસ્ટ હાઉસથી માંડીને પંચતારક હોટેલોમાં ઘણી સગવડો વધી છે. દુનિયાની કોઈપણ એવી પંચતારક હોટેલ નહિ હોય કે જેની રૂમોમાં ક્યારેય અનાચારનું ખોટું કામ થયું ન હોય. કેટલીક હોટેલોમાં તો કર્મચારીઓ જ એવી સગવડ કરી આપી કમાણી કરે છે.
એકાંત અને સતત સાહચર્ય સ્ત્રીપુરુષને પતન તરફ ઘસડી જાય છે. કેટલીય ઓફિસોમાં ખોટા સંબંધો બંધાય છે. ક્લિન્ટન જેવા અમેરિકાના પ્રમુખ પોતે પ્રમુખપદ ૫૨ હોય ત્યારે જ પોતાના કાર્યાલયમાં જ વ્યભિચાર કરે અને પકડાય ત્યારે કબૂલ કરી લેવું પડે એ તો અનાચારની હદ થઈ. પરંતુ એનું કારણ યુવાન મોહક કર્મચારી યુવતી સાથેનું એકાંત છે. આપણે ત્યાં કહ્યું છે કે ‘કામિની કે સંગ કામ જાગે હી જાગે.’ પરસ્ત્રીગમન એ પણ એક મોટું વ્યસન છે. વ્યસન એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org