________________
कुसीलवड्ढणं ठाणं दूरओ परिवज्जए।
૩૩૧
જે કુટેવમાંથી માણસ જલદી છૂટી ન શકે છે. વ્યસન માણસને દુર્ગતિમાં લઈ જાય છે. વ્યસનની વ્યાખ્યા આપવામાં આવી છે
વ્યસ્થતિ પુરુષ શ્રેયસ. તિ વ્યસન–અર્થાત્ જે દુષ્કર્મ માણસને કલ્યાણમાર્ગથી પાડે છે તે વ્યસન.
કુશીલ વ્યક્તિમાં દુરાચાર આવે છે, વ્યસનોમાં તે સપડાય છે. ભારતીય સાંસ્કૃતિક પરંપરામાં વ્યસનનોનો નિષેધ કરવામાં આવ્યો છે. કહ્યું છે :
द्यूतं च मां सं च सुरा च वेश्या, पापर्द्धि चौर्यं परदारसेवा । एतानि सप्त व्यसनानि लोके, घोराति घोरं नरकं नयन्ति । (૧) ધૂત=જુગાર, (૨) માંસ, (૩) મદિરા, (૪) વેશ્યા, (૫) શિકાર, (૬) ચોરી, (૭) પરસ્ત્રીગમન-આ સાત વ્યસન ઘોરાતિઘોર નરકમાં જીવને લઈ જાય છે.
જૂગાર વગેરે માત્ર એકાદ વ્યસનથી પણ મોટા મોટા પુરુષો જો પાયમાલ થયા હોય તો એક કરતાં વધારે વ્યસનથી જીવની કેવી દુર્ગતિ થાય ? પરંતુ જીવ એક વાર વ્યસને ચડ્યો તો એમાંથી જલદી છૂટાતું નથી. એનો સમય થાય એટલે મન ત્યાં દોડવા લાગે છે. બીડી, સિગરેટની તલપ લાગે એટલે માણસથી રહી શકાતું નથી. ન મળે તો માથું ભમે છે, કશું કામ સૂઝતું નથી.
એક વાર અમારા એક વડીલ અધ્યાપકને એમના પરિવાર સાથે અમારે ત્યાં ભોજન માટે નિમંત્રણ આપ્યું હતું. જમ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org