________________
વીરપ્રભુનાં વચનો ભાગ ૧-૨
પછી અમે બધા બેઠકના ખંડમાં બેઠા, પરંતુ અધ્યાપકનો મોટો પુત્ર દેખાયો નહિ. એટલી વારમાં ક્યાં જતો રહ્યો ? અમે વિચારમાં પડ્યા. બધા રૂમમાં, બાથરૂમમાં જોયું પણ એ ક્યાંય હતો નહિ, ત્યાં અધ્યાપકે ફોડ પાડ્યો કે એ થોડી વારમાં આવશે. એને જમ્યા પછી છેલ્લે કોળિયે સિગરેટ પીવાની અને ત્યાર પછી તમાકુવાળું પાન ખાવાની ટેવ પડી ગઈ છે. એટલે જમીને તરત એ ઘરમાંથી ચૂપચાપ નીકળી ગયો. મિત્રોની સોબતે ચડીને એ વ્યસની થઈ ગયો છે. ઘણું સમજાવવા છતાં એની ટેવ છૂટતી નથી. એની ટેવથી અમને શરમ આવે છે.’ થોડા વરસમાં કેન્સરની બીમારીથી એનું મૃત્યુ થયું હતું. માણસ વ્યસન તરફ ઘસડાય છે ત્યારે એક વ્યસનથી અટકતું નથી. એકમાંથી બીજું અને ત્રીજું એમ ચાલે છે.
જૂના વખતનો ટુચકો છે. કોઈ છોકરાની સગાઈ ક૨વા અંગે એક ભાઈએ અભિપ્રાય માગ્યો તો એક વડીલે યુક્તિપૂર્વક રજૂઆત કરી હતી.
‘તમને છોકરો કેવો લાગે છે ?’ તો વડીલે અભિપ્રાય આપ્યો કે ‘સગાઈ કરવા જેવું ઘર છે. છોકરો સરસ દેખાવડો છે, હોંશિયાર છે, ભણ્યો છે અને બાપનો ધંધો સારી રીતે શીખી રહ્યો છે. બધી રીતે એ સારો છે, પણ એક નાની કુટેવ છે.’ ‘શી કુટેવ છે ?’
‘બીજી કંઈ નહિ, માત્ર જૂઠું બોલવાની ટેવ છે.’ ‘જૂઠ્ઠું બોલવાની ટેવ છે ? કેમ, શું કામ જૂઠ્ઠું બોલે છે.’
૩૩૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org