________________
૩૩૪
વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨
જાતીય સંબંધ માટે કોઈ ક્ષોભ કે શરમ હોતાં નથી. તેમાં પતિપત્ની કે ભાઈબહેન જેવું પણ કશું હોતું નથી. પુરાણ કાળમાં આદિમાનવ એવું જીવન જીવતો હતો. એમાંથી, ક્રમે ક્રમે સંસ્કારી કુટુંબ વ્યવસ્થા આવી, તે એટલે સુધી કે ભાઈબહેન વચ્ચે પણ જાતીય સંબંધ ન હોઈ શકે. આ સંસ્કાર આપણા લોહીમાં વહે છે. પાશ્ચાત્ય સંસ્કૃતિમાં આવા સંસ્કારો ઓછા છે અને એનો લોપ થતો જાય છે અને એની અસર ભારતીય જીવન ઉપર પડવા લાગી છે. વિજ્ઞાન ઘણું આગળ વધ્યું છે પરંતુ મનુષ્યને તે પાછું પશુ જીવન તરફ ધકેલી રહ્યું છે.
સમગ્ર દુનિયા ભોગ, વિલાસિતા, કુશીલતા તરફ આગળ વધતી જાય છે. ઓગણીસમી સદીમાં માણસો જેવું જીવન જીવતા હતા તેના કરતા વર્તમાન કાળમાં ઘણી શિથિલતા આવી ગઈ છે. ધર્મગુરુઓ કે સમાજનેતાઓ ગમે તેટલી બુમરાણ મચાવે તો પણ એની અસર મર્યાદિત વર્તુળ ઉપર થાય છે. એટલે આખી દુનિયા જ્યારે પ્રવાહપતિત થઈ રહી છે ત્યારે તેમાં આપણે આપણી જાતને ઘસડાવા ન દેતાં બચાવી લેવી જોઈએ. ધર્મગુરુઓ તો પોતાના શિષ્ય પરિવારને સારી રીતે સાચવી શકે છે, પણ સમાન વિચારધારાવાળા ગૃહસ્થોએ નાનામોટાં સંસ્કાર મંડળો રચીને પોતાના મડળોના લોકોને પતિત થતાં બચાવવા જોઇએ. આખી દુનિયાને સુધારી નહિ શકાય, પણ જાતને સુધારી શકાશે.
એક ચીની પ્રાર્થના છે, Oh God! Reform thy World
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org