________________
दुक्करं करेउं जे तारुण्णे समणत्तणं
જાગ્રત થાય છે. યૌવનાવસ્થામાં એ વિશેષ પ્રબળ બને છે. વિવિધ ઇન્દ્રિયોની અતૃપ્તિ એમને સતાવે છે અને માનસિક પરિતાપ કરાવે છે.
બધા સાધુ એક જ સરખી કોટિના ન હોઈ શકે. કોઈકમાં એક પ્રકારની શક્તિ હોય તો કોઈકમાં અન્ય પ્રકારની, તેવી રીતે કેટલાક સાધુઓમાં જોવા મળતી શિથિલતાઓ પણ એકસરખી ન હોતાં જુદા જુદા પ્રકારની હોય છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ તથા અશુભ યોગ મોટા સાધુઓને પણ પતનના માર્ગે લઈ જાય છે. વિષય અને કષાય એ સાધુજીવનના મોટા શત્રુઓ છે. શિથિલતાની દૃષ્ટિએ એવા પાંચ પ્રકારના સાધુ શાસ્ત્રમાં બતાવવામાં આવ્યા છે કે જે અવંદનીય ગણાય છેઃ (૧) પાર્શ્વસ્થ (પાસસ્થા), (૨) અવસન્ન (ઓસન્નો), (૩) કુશીલ, (૪) સંસક્ત અને (૫) યથાછંદ (જહાછંદો). આ પાંચ પ્રકારના દરેકના પેટા પ્રકાર પણ બતાવવામાં આવ્યા છે. ‘ગુરુવંદન ભાષ્ય’માં કહ્યું છેઃ
पासत्थो ओसन्नो कुसील संसत्तओ जहाछंदो । યુ-યુગ-તિ-ટુ-ળેશ-વિજ્ઞા અવંખિન્ના નિવર્ઝન [પાર્શ્વસ્થ, અવસન્ત, કુશીલ, સંસક્ત અને યથાછંદ-આ પાંચેના અનુક્રમે બે, બે, ત્રણ, અને અનેક–એવા પેટા પ્રકાર છે. આ પાંચેયને જૈન દર્શનમાં અવંદનીય કહ્યા છે.]
પાસસ્થા (પાર્શ્વસ્થ) એટલે બાજુમાં રહેલા અથવા માર્ગથી બાજુ ૫૨ ખસી પડેલા. જેઓ આત્મામાં નહિ પણ બહાર કે
Jain Education International
૩૧
For Private & Personal Use Only
www.jainelibrary.org