SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ વીરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ બાજુમાં રહે છે, જેઓ ધર્મમાં નહિ પણ ધર્મની બહાર રહે છે, જેઓ જ્ઞાન, દર્શન અને ચરિત્ર્યરૂપી રત્નત્રયીમાં નહિ, પણ એની બહાર રહે છે તે પાર્શ્વસ્થ. પાર્શ્વસ્થના બે પ્રકાર છે-સર્વ પાર્શ્વસ્થ એટલે સંપૂર્ણપણે ભ્રષ્ટ થયેલા ને દેશ પાર્શ્વસ્થ એટલે અમુક અંશે ભ્રષ્ટ થયેલા. અવસન્ન એટલે જે સાધુઓ પોતાના આચારના પાલનમાં રસહીન, શિથિલ, પ્રમાદી કે અનુત્સાહી હોય. એમના બે પ્રકાર છે–સર્વ અવસન્ન અને દેશ અવસન્ન. કુશીલ એટલે ખરાબ આચરણવાળા. જેઓ જ્ઞાનાચાર, દર્શનાચાર અને ચારિત્રાચારના પાલનમાં પણ દોષવાળા હોય તે. કેટલાક સાધુઓમાં કેટલાક સારા ગુણ પણ હોય અને કેટલાક દોષો હોય તો તેને ‘સંસક્ત’ કહેવામાં આવે છે. યથાછંદ એટલે પોતાની મરજી મુજબ વર્તનારા, ગુરુની આજ્ઞામાં ન રહેનારા, ઉત્સૂત્ર પ્રરૂપણા કરનારા, એશઆરામનું જીવન જીવાવાળા શિથિલાચારી સાધુઓ. તેઓ અનેક પ્રકારના હોય છે. આ પાંચે પ્રકારના સાધુઓને જૈન ધર્મમાં અવંદનીય કહ્યા છે. ૩૨ સાધુઓમાં શિથિલતા આવવાના અઢાર સ્થાન દસવૈકાલિકસૂત્રમાં બતાવ્યાં છે. એમાં પાંચ મહાવ્રતના પાલનની વાત મુખ્ય છે અને એમાં પણ કઠિન વ્રત બ્રહ્મચર્યનું છે. સાધુ-સાધ્વીઓ બ્રહ્મચર્ય વ્રતનું પાલન ક૨વાને અસમર્થ બને છે ત્યારે તેમનામાં આચારની શિથિલતાના વિવિધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004557
Book TitleVeerprabhuna Vachano
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy