SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ अदीणमणसो चरे । બેઠા છે. પરંતુ એવા માણસો જ્યારે કેન્સરમાં અથવા એવા કોઈ ગંભી૨ રોગમાં સપડાયા હોય અને જાણી લીધું હોય કે હવે પોતે થોડા દિવસના જ મહેમાન છે, ત્યારે વાતવાતમાં તેઓ રડી પડતા હોય છે. માણસ ખૂન, ચોરી, વ્યભિચાર, ખોટા દસ્તાવેજ, દાણચોરી વગેરે કોઈક પ્રકારનું અપકૃત્ય કરે અને પકડાઈ જાય ત્યારે તે અત્યંત દીન બને છે. તેનો ચહેરો મ્લાન બની જાય છે. લોકોને ત્યારે તે મોંઢું બતાવી શકતો નથી. પોતાની અપકીર્તિથી તે ઝાંખો પડી જાય છે. એથી કોઈકને માનસિક રોગ થાય છે. કોઇકને આપધાત કરવાનું મન થાય છે, કેટલાક ખરેખર આપઘાત કરી બેસે છે. દીનતાનાં આ પરિણામ છે. દીનતા પણ બધાંની એક સરખી હોતી નથી. કોઈકની સામાન્ય, તો કોઈકની તીવ્રત૨, તીવ્રતમ હોય છે. કેટલાકને દીનતા આરંભમાં કઠે છે, પણ પછી ગમે છે અને કેટલાકને દીનતાની ટેવ પડી જાય છે, એમના જીવનમાં એ ઘર કરી બેસે છે. ૨૭૩ સંસ્કૃતમાં કહેવાયું છે કે ‘મા વૃત્તિ ટીનું વચઃ ।' દીન વચન બોલો નહિ. સકારણ કે અકારણ દીન વચન બોલવું નહિ. ક્યારેક અતિશય લાચાર બનેલા માણસથી દીન વચન બોલાઈ જાય છે. ‘મારે માથે તો દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે;’ ‘અમે તો સાવ પાયમાલ થઈ ગયા;’ ‘આ દુનિયામાં અમારું કોઈ નથી;’ ‘અમે અનાથ થઈ ગયા;’ ‘અમે ક્યાં હતા અને આજે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004557
Book TitleVeerprabhuna Vachano
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy