________________
વીરપ્રભુનાં વચનો ભાગ ૧-૨
ક્યાં આવી પડ્યા ?’ ‘અમે તો રસ્તા પરના થઈ ગયા’; ‘મારે દેવું એટલું થઈ ગયું છે કે મરવાનું મન થઈ જાય છે;' ‘મેં ધારેલું નહિ કે મારી સાથે આવો દગો ૨માશે ! હવે તો આપઘાત સિવાય છૂટકો નથી.' ઇત્યાદિ દીનતાનાં વચનો વખતોવખત સાંભળવા મળે છે. પરંતુ એવાં નિરાશાવાદી વચનથી કંઈ ઉકેલ આવતો નથી.
૨૭૪
માણસે સરળતા, લઘુતા, વિનમ્રતા, સહિષ્ણુતા વગેરે ગુણો જીવનમાં કેળવવા જોઇએ કે જેથી દીનતા ન આવે, પરંતુ એનું પરિણામ એવું ન આવવું જોઈએ કે જેથી પોતાનામાં લઘુતાગ્રંથિ જન્મે, અથવા તો દીનતા-હીનતાનો ભાવ જ રહ્યા કરે અને સત્ત્વહીન બની જવાય. વસ્તુતઃ સરળતા, લઘુતાદિ સદ્ગુણોથી પોતાનું સત્ત્વ વધુ ખીલવું જોઈએ.
બીજી બાજુ સરળતા, લઘુતા વગેરે પોતાના ગુણો માટે માણસે એટલા બધા સભાન પણ ન રહેવું જોઇએ કે જેથી એ સદ્ગુણો માટે અભિમાન પ્રગટે અને પરિણામે એ ગુણો પણ ચાલ્યા જાય. માણસને દીનતાનો પણ અહંકાર થાય છે. સોક્રેટિસ વિશે એક કિંવદન્તિ છે કે એમનો એક મિત્ર કાણાકાણાવાળો ઝભ્ભો પહેરીને નીકળતો. સોક્રેટિસે આવો ઝભ્ભો પહેરવાનું કારણ પૂછ્યું તો એણે કહ્યું કે ‘મારી લઘુતા, દીનતા બતાવવા માટે હું આવો ઝભ્ભો પહેરું છું.' સોક્રેટિસે કહ્યું કે ‘ભાઈ, તને કાણાવાળો ઝભ્ભો પહેરેલો જોઇને લોકોને પહેલાં એમ લાગે કે તું કેટલો બધો ગરીબ-દીન છે, પરંતુ પછીથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org