________________
अदीणमणसो चरे ।
૨ ૭૫
તારા વર્તન પરથી લોકોને સમજાય છે કે હકીકતમાં તો તારા ઝભ્ભાના પ્રત્યેક કાણામાંથી દીનતા માટેનું તારું અભિમાન ડોકિયું કર્યા કરે છે.”
દીનતા જાય તો સમતા આવવી જોઇએ, મિથ્યાભિમાન નહિ. પરંતુ ભૂખે મરતો દીન માણસ જ્યારે તવંગર બને છે ત્યારે સંપત્તિ માટેનું એનું અભિમાન છલકે છે. પોતાના દુઃખના દિવસોની સ્મૃતિ બીજા દીનદુઃખી પ્રત્યેની સહાનુભૂતિમાં પરિણમવી જોઈએ, નહિ કે એમને સતાવવામાં.
મનુષ્ય દીન, નિર્ધન, મજબૂર નથી એ દર્શાવવા એક પ્રસંગ કહેવાય છે. એક વખત એક મહાત્મા એક ગરીબ વિસ્તારમાંથી પસાર થતા હતા ત્યારે એમની નજર એક મકાનના ઓટલા પર એક સશક્ત, બેકાર અને નિષ્ક્રિય બેઠેલા યુવાન પર ગઈ. એમણે યુવાનને આમ બેસી રહેવાનું કારણ પૂછ્યું. યુવાને કહ્યું કે પોતાની પાસે પૈસા નથી, એટલે બેસી રહ્યો છે. મહાત્માએ એને કહ્યું કે “ભાઈ, તું નિર્ધન નથી, ધનવાન છે.” યુવાને કહ્યું: “મહારાજ, મારી મજાક ન કરો. મહાત્માએ કહ્યું કે “ભાઈ, મજાક નથી કરતો, સાચી વાત કહું છું. મને કહે કે કોઈ માણસ એક આંખે અથવા બેય આંખે આંધળો હોય અને એને નવી આંખ બેસાડવા ઓપરેશન કરાવવું છે તો કેટલું ખર્ચ થાય ? પંદર, પચીસ હજાર રૂપિયા થાય ને ? તારી બંને આંખ સાજી છે તો એની કિંમત પચીસ હજાર જેટલી ન મૂકી શકાય ? બહેરો માણસ કાને ઓપરેશન કરાવે તો કેટલું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org