________________
साहीणे चयई भोए से हु चाई त्ति वुच्चई।
૨૦૯
ભોગવવાનો આનંદ ત્યાં રહેલો છે. આવી રીતે પુખ્ત વયની વ્યક્તિ પણ એવો કે એથી વિશેષ આનંદ વસ્તુનો ત્યાગ કરીને અનુભવી શકે છે. સાચા દાતાઓ દાન આપીને હર્ષ-રોમાંચ અનુભવે છે. પોતાની પાસેની વધારાની વસ્તુઓ બીજાને આપ્યાનો આનંદ અવશ્ય છે, પરંતુ પોતાની કામની વસ્તુ બીજાને આપીને પોતે એનાથી સપ્રેમ વંચિત રહેવાનો આનંદ વધુ સૂક્ષ્મ અને ચડિયાતો છે. અનુભવે જ એ સમજાય એવો છે.
આમ વસ્તુનો ત્યાગ કરવાનું કદાચ અઘરું ન હોય, પણ વસ્તુ પ્રત્યેની આસક્તિ કે વાસના છોડવાનું ઘણું અઘરું છે. એટલે જ પરિગ્રહને મૂર્છા તરીકે ઓળખાવવામાં આવે છે. પોતાના સંપર્કમાં આવેલી કેટકેટલી વસ્તુઓ અને વ્યક્તિઓ માટે માણસના મનમાં પ્રેમ, અનુરાગ, મમત્વભાવ જન્મે છે અને પોષાય છે. એવી વસ્તુઓનો કે વ્યક્તિઓનો વિયોગ થતાં માણસ દુઃખ અનુભવે છે. ક્યારેક તે અસહાયતા કે નિરાધારપણું અનુભવે છે. માટે કષાયોના ત્યાગ માટેની જાગૃતિ આવશ્યક છે. સાધુસન્યાસીઓને પણ પોતાના ઉપકારી ગુરુ-ભગવંતો કે વિનયી શિષ્યનો વિયોગ સાલે છે. એવે વખતે પણ કોઈ કોઈનું નથી અને જે કાળે જે બનવાનું હોય છે તે બને જ છે એવી સમત્વબુદ્ધિ અને ચિત્તની શાન્તિ કોઈક જ્ઞાની વિરલાઓ અનુભવી શકે છે. એવું જડતાને કારણે નથી બનતું, પરંતુ પૂરી જાગૃતિને કારણે અનુભવાય છે. જ્ઞાતાદૃષ્ટાભાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org