________________
૨ ૧0
વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨
આવ્યો હોય તો જ આવી અનુભૂતિ થઈ શકે છે.
આપણા શાસ્ત્રગ્રંથોમાં કહ્યું છેઃ જ્ઞાની મને વિપતિઃ | પાતંજલયોગસૂત્રમાં પણ કહ્યું છે જ્ઞાનસ્ય પરીક્ષષ્ઠિા વૈરાયમ્ | ત્યાગના દ્રવ્ય અને ભાવની દૃષ્ટિએ, તથા દ્રવ્યની વિવિધતા અને ભાવની તરમરતા એમ ત્યાગના અનેક પ્રકાર સંભવી શકે છે. આવા બધા પ્રકારોમાં જ્ઞાનગર્ભિત વૈરાગ્યયુક્ત, સમ્યગદર્શનની પ્રાપ્તિ પછીનો ત્યાગ વધુ ચડિયાતો છે અને એવો ત્યાગ જીવને આત્મોત્થાનની ઉચ્ચતર, ઉચ્ચતમ ભૂમિકા પર લઈ જાય છે. તેનું જ મૂલ્ય અધ્યાત્મના માર્ગમાં રહેલું છે. એટલે જ કહેવાયું છે કેઃ
त्याग एव हि सर्वेषां मोक्षसाधनमुत्तमम् । [બધાં સાધનોમાં ત્યાગ જ મોક્ષનું ઉત્તમ સાધન છે.] આમ, આત્મસાધનમાં ત્યાગનું ઘણું મહત્ત્વ હોવા છતાં જીવે ત્યાગ વૈરાગ્યમાં અટકી જવાનું નથી. આધ્યાત્મિક અનુભૂતિ માટે ત્યાંથી જ હવે શરૂ કરવાનું છે.
જે મહાત્માઓ ત્યાગવેરાગ્યની નીચેની ભૂમિકા વટાવી સાધનાના ઉચ્ચતર-ઉચ્ચતમ સ્તરે પહોંચ્યા હોય છે તેમને માટે હવે ત્યાગીને ભોગવવાની વાત પણ રહેતી નથી. ચેન ત્યક્તન મુંગીથી: I એ ઉપનિષદનું ઉપદેશ વાક્ય પણ એમને માટે નિષ્ઠયોજન બની રહે છે. ત્યાગ કર્યા પછી ત્યાગની સભાનતા ન રહેવી જોઈએ. એનો અર્થ એ નથી અસાવધાનપણું આવી જાય અને પોતે ત્યાગ કર્યો છે કે નહિ તેની ખબર ન હોવાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org