SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ મારણાન્તિક ઉપસર્ગ વખતે પણ જીવ બચાવવા ભાગી જતા નથી, પણ આત્મોપયોગમાં હોય છે. સામાન્ય માણસો માટે ભોગ અને ઉપભોગનો આનંદ સૌથી મહત્ત્વનો છે. ભોગોપભોગમાં સ્થૂલ આનંદ છે એનો ઇન્કાર નહિ થઈ શકે. સમસ્ત જગતનો એ વાસ્તવિક અનુભવ છે. પરંતુ ભોગોપભોગના આનંદ કરતાં તેને ત્યાગનો આનંદ ચડિયાતો છે એ સમજવા માટે અને અનુભવવા માટે યોગ્ય પાત્રતાની અપેક્ષા રહે છે. એવી પાત્રતા સામાન્ય સરેરાશ જીવોમાં હોતી નથી. પંચેન્દ્રિયના વિષયોના ભોગોપભોગમાં અપાર વૈવિધ્ય રહેલું છે. એટલે એના આનંદમાં પણ વૈવિધ્ય હોય તે સમજી શકાય એમ છે. આ આનંદ સ્કૂલ અને સપાટી ઉપરનો હોવા છતાં પણ એમાં ઉત્કટતાની ભિન્ન ભિન્ન કક્ષા હોય છે. એ આનંદની અનુભૂતિમાં પણ તરતમતા રહેલી છે. પરંતુ આ આનંદ કરતાં પણ ત્યાગનો આનંદ ચડિયાતો છે. એ આનંદ સ્કૂલ નહિ પણ સૂક્ષ્મ પ્રકારનો છે. નાનાં બાળકો રમતાં હોય છે ત્યારે કોઈક બાળકને પોતાના રમકડાં માટે લડતું, ઝઘડતું, રડતું નિહાળવા મળે છે. રમકડાં માટેનો મમત્વભાવ અને એ રમવાના આનંદનો ભાવ એને માટે અત્યંત મહત્ત્વનો છે. પરંતુ એવી રીતે લડતાં-ઝઘડતાં બાળકોમાં પણ કોઈ સમજુ બાળક પોતાનું વહાલું રમકડું પોતાના મિત્રને રમવા આપીને જે આનંદ અનુભવે છે એ સમયની એના ચહેરાની રેખાઓ નિહાળવા જેવી હોય છે. ત્યાગીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004557
Book TitleVeerprabhuna Vachano
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy