SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ साहीणे चयई भोए से हु चाई त्ति वुच्चई । ૨ ૦૭ પોતાના બળી જતા મહેલ માટે ચિંતા નહોતી. તેઓ દેહથી પર હતા, માટે વિદેહી કહેવાયા. એટલે જ મહાભારતકાર વ્યાસ મુનિ પોતાના પુત્ર શુક્રદેવને જ્ઞાનપ્રાપ્તિ માટે જનક રાજા પાસે મોકલે છે. ચીજવસ્તુઓ અને ઉપકરણો ઇત્યાદિ પ્રત્યે પોતાને જરા પણ રાગ કે મમતા ન હોય એવા કેટલાક મહાત્માઓના જીવનમાં કેટલીક વ્યક્તિઓ પ્રત્યે તીવ્ર રાગ જોવા મળે છે. પોતાના નિકટના ભક્તો, અનુયાયીઓ અન્યત્ર, અન્ય મહાત્મા પાસે કે આશ્રમમાં ચાલ્યા જાય તો તેઓ ભારે ખિન્નતા અનુભવે છે. સાધુ મહાત્માઓ માં પોતાના શિષ્યવર્ગ કે ભક્તો-અનુયાયીઓ પ્રત્યે પણ રાગ ન હોવો જોઈએ. દુનિયાની બધી વસ્તુઓનો ત્યાગ ઘણો અઘરો જ છે એમાં સંશય નથી, પરંતુ એવો ત્યાગ કરનારા કેટલાક મહાત્માઓને પોતાના દેહ માટે, પોતાના નામ અને રૂપ માટે ઘણો મોહ હોય છે. બધું વળગણ છૂટી જાય છે, પણ નામરૂપનું વળગણ છૂટતું નથી. એ પણ ક્ષણભંગુર છે એવું સમજાયા છતાં એના પ્રત્યેનો મોહ છૂટતો નથી. ત્યાગની ઉચ્ચત્તમ ભાવનામાં આગળ વધતાં વધતાં પોતાના દેહ માટેની મમત્વબુદ્ધિ પણ છોડવાની છે. દેહ અને આત્માની ભિન્નતાનો અંતર્મુખ બની જેઓએ અનુભવ કર્યો છે એવા મહાત્માઓ જ દેહથી પર થઈ શકે છે. તેઓ જ ઉપસર્ગ-પરીષહ વખતે અડોલ રહે છે. તેઓએ ભયનો પણ ત્યાગ કર્યો હોય છે એટલે કે અભય હોય છે. તેઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004557
Book TitleVeerprabhuna Vachano
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy