SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨, છે. તો એનો બાહ્ય વસ્તુઓનો મોટો ત્યાગ હોવા છતાં મમતા અને રાગ ઉપર હજુ જોઈએ તેટલો વિજય મેળવાયો નથી એવો અર્થ થાય. કેટલાયે ત્યાગી સંત મહાત્માઓમાં પણ આવી સૂક્ષ્મ આસક્તિ રહેલી જોવા મળે છે. સૂક્ષ્મ આસક્તિમાંથી મુક્ત થવું એ મોટી સાધના છે. દંતકથા પ્રમાણે એક વખત જનક રાજા સાથે જ્ઞાનગોષ્ઠી કરવા માત્ર લંગોટીધારી એવા કેટલાક સંન્યાસીઓ અતિથિ તરીકે આવ્યા. એક દિવસ જ્ઞાનગોષ્ઠી કરતાં કરતાં તેઓ નદીમાં સ્નાન કરવા ગયા. તે વખતે જનક રાજાના મહેલમાં અચાનક આગ લાગી અને ધૂમાડાના ગોટેગોટા દેખાયા. એ જોઈને સંન્યાસીઓએ કહ્યું, “મહારાજ, દોડો, દોડો, આપના મહેલમાં આગ લાગી છે.” જનક રાજાએ અસ્વસ્થ થયા વિના શાંતિથી કહ્યું, “ભલે આગ લાગી. મારે ને મહેલને શું? ભલે ને બળીને ખાખ થઈ જાય. જે થવાનું હશે તે થશે. આપણે આપણી જ્ઞાનવાર્તા ચાલુ રાખીએ.” સંન્યાસીઓએ કહ્યું, નહિ, મહારાજ ! આપ ભલે ન આવો. અમારે તો દોડવું પડશે. અમારી બીજી લંગોટી મહેલમાં છે. એ બળી જશે તો અમે કરશું શું?’ એમ કહી સંન્યાસીઓ પોતાની લંગોટી બચાવવા મહેલ તરફ દોડ્યા. આ તો માત્ર દંતકથા છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પરિગ્રહમાં માત્ર લંગોટી હોવા છતાં એટલી નાની સરખી વસ્તુ માટે પણ કેટલી બધી મમતા! જનક રાજાને “વિદેહી' તરીકે ઓળખાવવામાં આવે છે. તેમને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004557
Book TitleVeerprabhuna Vachano
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy