________________
साहीणे चयई भोए से हु चाई त्ति वुच्चई।
૨ ૦ ૫
વૈરાગ્યની ભાવના પણ દુઃખગર્ભિત કે મોહગર્ભિત હોય તો તે ઝાઝો વખત ટકતી નથી. વૈરાગ્યની ભાવના જ્ઞાનગર્ભિત હોય તો જ વધુ ટકે છે. જ્ઞાન પણ જો સમ્યક્ હોય તો ત્યાગવેરાગ્યનાં મૂળ ઊંડા જાય છે. વિપરીત સંજોગોમાં પણ એ મૂળને આંચ આવતી નથી. સંસારના પદાર્થોની ક્ષણભંગુરતાના સતત ચિંતનથી ત્યાગવૈરાગ્યની ભાવના દઢમૂલ થતી જાય છે.
કેટલાક સંસારી માણસો પોતાની નિરર્થક વસ્તુઓનો ત્યાગ કરે છે. પરંતુ વર્તમાનમાં અને ભવિષ્યમાં ખપ લાગે એવી વસ્તુનો ત્યાગ કરતા નથી. પરંતુ ત્યાગની સાચી વૃત્તિથી પ્રેરાયેલા માણસો પોતાની જરૂરિયાત ઓછામાં ઓછી કરીને બાકીની વસ્તુઓનો ત્યાગ કરે છે. એક અપેક્ષાએ આવો ત્યાગ પ્રશસ્ય છે, પણ તે ઉત્તમ પ્રકારનો નથી. માણસ આહાર, વસ્ત્ર અને રહેઠાણની અલ્પતમ આવશ્યકતા સ્વીકારી બાકીનું બધું છોડી દે છે ત્યાં ત્યાગની ભાવના સવિશેષ પ્રગટ થાય છે. પરંતુ આવા સંજોગોમાં જો વ્યક્તિમાં પોતાનાં વસ્ત્ર, પાત્ર, ધાર્મિક ઉપકરણ ઇત્યાદિ માટે ઘેરી મમતા રહેતી હોય તો તે ઇષ્ટ નથી. માણસ દુનિયાની તમામ વસ્તુઓ છોડીને સાધુસન્યાસી બની જાય, પણ પોતાની રુદ્રાક્ષની, સ્ફટિકની કે પરવાળાંની માળા માટે કે પોતાના પ્રિય ગ્રંથ ઇત્યાદિ માટે એટલી બધી આસક્તિ હોય કે કોઈનાથી જો તે વસ્તુ જરા પણ આઘીપાછી થાય તો તે ચિડાઈ જાય, અસ્વસ્થ થઈ જાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org