________________
વીરપ્રભુનાં વચનો ભાગ ૧-૨
બેન્કની પાસબુક અને બીજા દસ્તાવેજો ૫૨ તેમની નજર ફર્યા કરે છે, હિસાબો રખાય છે. એમાં તેઓ રાચે છે. They enjoy the use of money by proxy. તેઓએ સ્ત્રીનો ત્યાગ કર્યો હોય છે, પણ કેટલીયે આજ્ઞાંકિત ભક્તાણીઓ ઉ૫૨ના પોતાના પ્રભુત્વને તેઓ મનથી માણે છે. તેઓના ચિત્તમાં ક્યારેક દુર્વિચારો ડોકિયાં કરી જતા હશે. કેટલાકે માલમિલકતનો ત્યાગ કર્યો હોય છે, પરંતુ પોતાના ઉપદેશથી સ્થપાતી સંસ્થાઓ, આશ્રમો, મકાનો, ઉદ્યાનો, શિક્ષણ સંસ્થાઓ, ગ્રંથાલયો, સંગ્રહસ્થાનો ઇત્યાદિ પરના પોતાના માલિકીપણાનો માનસિક આનંદ જતો કરી શકતા નથી. ક્યારેક તે માટે સંઘર્ષ કરવા તેઓ તૈયાર થઈ જાય છે. આવી બધી સંસ્થાઓ તે પોતાનાં માનસિક સંતાનો છે એમ તેઓ અનુભવે છે. કેટલાક તો એનાં બંધારણમાં પોતાના સર્વોપરિપણાનો અબાધિત હક દાખલ કરાવતા હોય છે. આવા કહેવાતા મહાત્માઓ ત્યાગી હોવા છતાં સાચા અર્થમાં ત્યાગી નથી હોતા.
૨૦૪
જેઓ પોતાને અત્યંત પ્રિય હોય એવા ભોગોપભોગો સ્વાધીનપણે અનાયાસ હક્કપૂર્વક પ્રાપ્ત થતા હોય અને છતાં તેના તરફ પોતાની પીઠ ફેરવે છે, સ્વેચ્છાપૂર્વક સમજણ સાથે તેનો ત્યાગ કરે છે તેઓ સાચા ત્યાગી છે. ત્યાગની સાથે વૈરાગ્યની ભાવના હોય તો જ ત્યાગ ટકે છે. એટલે જ ભક્ત કવિ નિષ્કુલાનંદે ગાયું છે કે ‘ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના.’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org