________________
साहीणे चयई भोए से हु चाई त्ति वुच्चई ।
૨૦૩
ત્યાગ કર્યો નથી હોતો. તેમને અનિચ્છાએ ત્યાગ કરવો પડ્યો. હોય છે. ફરી યોગ્ય અનુકૂળ તક મળે તો તેઓ સાંસારિક જીવન ભોગવવાની ઇચ્છા અંતરના ખૂણે ધરાવતા હોય છે. એવા દેખાતા ત્યાગીઆએ તે સાચા ત્યાગી નથી હોતા.
કેટલાક સાધુસંન્યાસીઓએ સ્વેચ્છાએ સ્કૂલ દૃષ્ટિએ ઘરબાર, માલ-મિલકત, સગાંસ્વજનોનો ત્યાગ કર્યો હોય છે. આરંભમાં એમનું ત્યાગજીવન પ્રશસ્ય હોય છે. પણ પછી એમના જીવનમાં વાસનાઓનો સળવળાટ થવા લાગે છે. પોતાને જે પ્રત્યક્ષ રીતે ભોગવવા ન મળ્યું તે પરોક્ષ રીતે ભોગવવામાં તેઓ રાચે છે, તેઓ તેનો કાલ્પનિક આનંદ માણે છે. નળ રાજાનો ભાઈ પુષ્કર ફરીથી નળની સાથે ઘૂત રમતાં હારી જઈ વનમાં જાય છે તો ત્યાં પોતાનું “માનસી રાજ્ય ભોગવે છે. તે કલ્પનાએ ચડી જાય છે અને વનનાં પશુપંખીઓ, વૃક્ષો ઇત્યાદિમાં તે પોતાના રાજ્યના મંત્રીઓ, દરબારીઓ, પ્રજાજનોની કલ્પના કરે છે અને પોતે રાજ્ય ભોગવતો હોય એવો કાલ્પનિક આનંદ માણે છે. તેણે તનથી રાજ્ય છોડ્યું છે, પણ મનથી છોડ્યું નથી. એવી રીતે કેટલાક સાધુસંન્યાસીઓએ ધન-માલમિલકત, સ્ત્રી ઇત્યાદિ તનથી છોડ્યાં હોય છે, પરંતુ મનથી છોડ્યાં નથી હોતાં. એટલે જ એવા કેટલાક સાધુઓ પોતાના હસ્તક આવતી દાનની રકમ ઉપર, મંદિરની મિલકતના ટ્રસ્ટ ઉપર પોતાનું પ્રભુત્વ જમાવે છે. એમની આજ્ઞા પ્રમાણે, ઇચ્છા પ્રમાણે જ ધન ખર્ચાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org