SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ પરાણે ત્યાગ કરવો પડે છે ત્યાં તેવી વ્યક્તિને સાચા અર્થમાં ત્યાગી ન કહી શકાય. માણસને ગળી વસ્તુ બહુ ભાવતી હોય, ખાવાની ઇચ્છા પણ થયા કરે, પરંતુ મધુપ્રમેહના રોગને કારણે દાક્તરે મનાઈ કરી હોય તો તેવી વ્યક્તિને ગળી વસ્તુના ત્યાગી તરીકે ન ઓળખાવી શકાય. માણસ પાસે ધન ન હોય માટે કેટલીયે વસ્તુઓ ઘર માટે વસાવી ન શકે, તો તેથી એણે એ ચીજવસ્તુનો ત્યાગ કર્યો છે એમ ન કહી શકાય. માણસને પરણવું હોય, પરંતુ કન્યા મળતી ન હોય અને ન છૂટકે કુંવારા રહેવું પડતું હોય તો એથી એને “બ્રહ્મચારી' ન કહી શકાય. ન મળી નારી, તો સહેજે બાવા બ્રહ્મચારી જેવી લોકોક્તિઓ એટલે જ પ્રચલિત છે. મોટાં શહેરોમાં નોકરી-ધંધા માટે ગયેલા અનેક પરિણીત પુરુષો એકલા રહે છે અને અનિચ્છાએ સંયમી જીવન (બધા નહિ) જીવે છે, તો તેથી તેઓને સંયમી કે બ્રહ્મચારી તરીકે ન ઓળખાવી શકાય. આવા બધા કિસ્સાઓમાં પંચેન્દ્રિયોના સુખોપભોગનો સ્થૂલ પ્રગટ ત્યાગ હોવા છતાં તેઓને સાચા અર્થમાં ત્યાગી ન જ કહેવાય. આ તો સામાન્ય માણસોની વાત થઈ. જેઓ સાધુસન્યાસી છે તેઓ બધા જ સાચા અર્થમાં ત્યાગી હોય છે એવું નથી. કેટલાયે અનાથ, એકલા હોવાથી, નિરાધાર, દુઃખી કે ઓછી અક્કલના હોવાથી અથવા કોઈકના ભોળવ્યાથી ત્યાગી થઈ દીક્ષિત થયા હોય છે. તેઓએ સ્વેચ્છાએ સમજણપૂર્વક, ભાવસહિત વસ્ત્રાદિ, અલંકારો, ઘરબાર, સગાંસ્નેહીઓનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004557
Book TitleVeerprabhuna Vachano
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy