SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ साहीणे चयई भोए से हु चाई त्ति वुच्चई । ૨ ૦ ૧ એક છિદ્રમાંથી ઘણાં અનર્થો ઉત્પન્ન થાય છે. માટે સાચું જ કહેવાયું છે છિપુ મન વધુ મવત્તિ સ્થિરવાસ કરનારા સાધુઓનો પોતાના સ્થાન પર પૂલ કે સૂક્ષ્મ અધિકાર ચાલુ થાય છે. કેટલીક વખત તેઓ અજાણતાં પણ એનો ભોગ બની જાય છે. સાવધ રહેવું દુષ્કર છે. પોતે સાવધ છે એવો ભ્રમ પછી ચાલુ થાય છે. ઘર છોડ્યું એટલે સાધુઓમાંથી પોતાનાં ઉપકરણોની આસક્તિ પણ નીકળી જવી જોઈએ. સરસ મજેદાર મખમલી પથારી, સુશોભિત પલંગો, આરામદાયક ખુરશીઓ, ભાતભાતનાં પગરખાં, ભોજનાદિ માટેનાં કિંમતી વાસણો-આવી આવી તમામ વસ્તુઓ સાધુઓએ છોડી દેવાની હોય છે. ઘર હોય એટલે શું શું ન હોય ? જેમ શ્રીમંતનું મોટું બાદશાહી આલીશાન ઘર તેમ તેમાં સુખ સગવડ માટે ભાતભાતની સામગ્રી રહેવાની. સુશોભનો માટે પણ એવાં ઘરોમાં કેટકેટલી નિત નવી નીકળતી મોંઘીદાટ ચીજવસ્તુઓ જોવા મળે છે. શ્રીમંતના ઘરની ચીજવસ્તુઓ સાધુની પોતાની પાસે ન હોય તો પણ ક્યાંક જોવાની તક મળે ત્યારે ગમવાનો કે વખાણવાનો ભાવ આવી જાય એ પણ સાધુજીવનની ક્ષતિ ગણાય છે. બધાંનો ત્યાગનો ભાવ એ કસરખો નથી હોતો. લાચારીમાંથી પણ ત્યાગ જન્મે છે. સશક્તિમાન્ ભવેત્ સાધુ ! જેવી લોકોક્તિમાં સાચું રહસ્ય રહેલું છે. જ્યાં સ્વેચ્છાએ હૃદયપૂર્વક ત્યાગ હોતો નથી, પણ ન છૂટકે, કર્તવ્યના ભારરૂપે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004557
Book TitleVeerprabhuna Vachano
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy