SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ વીરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ થાય છે. ત્યાગ કરવા લાયક સ્થૂલ અને સૂક્ષ્મ એવી અનેક વસ્તુઓ છે. અહીં ઉદાહરણ તરીકે કેટલીક મોટી સ્કૂલ મુખ્ય વસ્તુઓનો નિર્દેશ કરવામાં આવ્યો છે અને તે પણ સાધુઓને લક્ષમાં રાખીને. વસ્ત્ર, સુગંધી-સુશોભનના પદાર્થો, અલંકારો, સ્ત્રીઓ (સાધ્વી માટે પુરુષો), શયન-આસન વગે૨ે ઉપકરણોનો ત્યાગ કરીને માણસ સાધુસંન્યાસી થાય છે. મુનિ તરીકે દીક્ષિત થતાં વ્યક્તિ પોતાનું ઘર છોડે છે. એ છોડવા સાથે પોતાનાં પ્રિય વસ્ત્રોનો ત્યાગ કરે છે અને સાધુસંન્યાસીનાં વિશિષ્ટ વસ્ત્રો પોતપાતાના પંથ અનુસાર ધારણ કરે છે. હવે વસ્ત્ર માટે એની પસંદગી કે વરણાગી રહેતી નથી. ગૃહત્યાગ કરવા સાથે તે સુવર્ણ-રત્ન વગેરેથી મંડિત એવા અલંકારોનો ત્યાગ કરે છે. એની સાથે તે પોતાની પત્ની (જો પરિણીત હોય તો)નો પણ ત્યાગ કરે છે. બીજી સ્ત્રીઓનો ત્યાગ પણ એમાં અભિપ્રેત છે. આમ સાધુ-સંન્યાસી એટલે કંચન અને કામિનીના ત્યાગી. સાધુ-સન્યાસી એટલે અકિંચન અને બ્રહ્મચર્યવ્રતધારી. (એ પ્રમાણે ગૃહત્યાગ કરનાર સાધ્વીનો જીવનક્રમ પણ બદલાય છે.) સાધુ થયા અને ઘ૨ છોડ્યું એટલે આખી દુનિયા એનું ઘર. આજે અહીં તો કાલે ત્યાં. સાધુએ પોતાના ઘરની માયા છોડી દીધી છે. હવે એને કોઈ ગૃહસ્થ ભક્તના ઘરની માયા પણ ન હોવી જોઈએ. સાધુ ચલતા ભલા. જ્યાં સ્થિરતા આવી ત્યાં સ્થળ, મકાન, ભક્તજનો ઇત્યાદિ માટેનો લગાવ શરૂ થઈ જાય છે. આવા ૨૦૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004557
Book TitleVeerprabhuna Vachano
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy