SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ વાટાઘાટ ન કરવાની સલાહ તેમની કંપની તરફથી આપવામાં આવે છે, કારણ કે શરાબ પછી વાચાળતા ચાલુ થાય તો ઉત્સાહમાં આવી જઈને એજન્ટ ગમે તે દરખાસ્ત કબૂલ કરી નાખે જે કંપનીને માટે નુકસાનકારક હોય. જે માણસો વાચાળ હોય છે એ માણસોને વૃદ્ધાવસ્થામાં એમની વાચાળતા જો રોગરૂપે પરિણમે છે ત્યારે તે ઘણા અનર્થ ફેલાવે છે. તેઓ જ્યારે અનૌપચારિક વર્તુળમાં બોલબોલ કરતા હોય છે ત્યારે તેમનાં સ્વજનો કે મિત્રો અટકાવી શકે છે. પરંતુ આવી વ્યક્તિ જાહેર જીવનમાં હોય અને મંચ ઉપરથી બોલવાની હોય ત્યારે પોતે કેવું અને કેટલું બોલે છે તેનું એમને પોતાને પણ ભાન રહેતું નથી. એમના મગજમાં વિચારો સતત ઊભરાયા કરતા હોય છે અને બોલતા તેઓ થાકતા નથી. કેટલાક સારા વ્યાખ્યાતાઓ પોતાની યુવાનીમાં પોતાના સરસ વક્તવ્યને કારણે ઠેરઠેર પ્રશંસા પામે છે, પરંતુ એ જ વ્યાખ્યાતાઓ વૃદ્ધાવસ્થામાં બોલવા ઊભા થાય ત્યારે તેમના લાંબા વક્તવ્યના કારણે તેમને અધવચ્ચેથી બેસાડી દેવામાં આવે છે. કાર્યક્રમના વ્યવસ્થાપકોની ચિઠ્ઠીના તેઓ વારંવાર ભોગ બને છે. રાણી વિક્ટોરિયાએ ગ્લૅડસ્ટન માટે અભિપ્રાય આપતાં કહ્યું હતું કે-He speaks to me as if I am a public meeting. મુખરી માણસોને એક ટેવ એવી પડી જાય છે કે જ્યારે તેઓ પ્રશંસા કરવા બેસે છે ત્યારે તેમાં અતિશ્યોક્તિનો પાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004557
Book TitleVeerprabhuna Vachano
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy