________________
मोहरिते सच्चवयणस्स पलिमंथू
નથી હોતો, કારણ કે જીભમાં હાડકું હોતું નથી. તેઓ નિંદા ક૨વા બેસે છે તો તેમાં પણ અતિરેક એટલો જ થતો હોય છે. કેટલાક મુખરી માણસો પ્રશંસા અને નિંદા બંનેમાં અત્યંત કુશળ હોય છે અને પ્રસંગાનુસાર કાં તો પ્રશંસાનો અને કાં તો નિંદાનો ધોધ એક જ વ્યક્તિ કે વિષયને માટે વહેવડાવી શકે છે. આવા મુખરી માણસોના સાચા અભિપ્રાયને પામવાનું કે એના આંતરમનને સમજવાનું કે પારખવાનું અઘરું હોય છે. કેટલીક વાર તો તેઓ પોતે પોતાની જાતને બરાબર સમજી શક્યા છે કે નહિ તેની તેમને પોતાને ખબર હોતી નથી. કેટલાક ચિંતકો કહે છે કે જો કોઈ વ્યક્તિ તમારે મોઢે તમારી અતિશય કૃત્રિમ પ્રશંસા કરવા લાગે તો સમજવું કે એના હ્રદયમાં કે અસંપ્રજ્ઞાત ચિત્ત (subconcious mind) માં તમારે માટે એટલો જ ધિક્કાર પડેલો છે. એ ધિક્કારને છુપાવવા માટે તેનું વાચાળપણું પ્રશંસારૂપે પ્રગટ થાય છે. માટે એવા માણસોથી સાવધ રહેવાની અને એમની પ્રશંસાથી ભોળવાઈ ન જવાની સલાહ આપવામાં આવે છે.
જે માણસ ઘડીકમાં પ્રશંસા અને ઘડીકમાં નિંદા એમ બંને રીતે પોતાની વાણીને વાપરી જાણે છે એવા માણસો બે જીભવાળા કહેવાય છે. સર્પને બે જીભવાળો દ્વિજિવ કહેવામાં આવે છે, કારણ કે સાપની જીભમાં ફાટ હોય છે. પરંતુ સંસ્કૃત સુભાષિતકારે કહ્યું છે તેમ સાપ તો ક્યારેક જ કરડે છે, પરંતુ બે જીભવાળો દુર્જન વાચાળ માણસ તો ડગલે ને પગલે કરડે
Jain Education International
૧૫૭
For Private & Personal Use Only
www.jainelibrary.org