________________
૧૫૮
વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨
છે અને સત્યનું ખંડન કરે છે. મુખરી માણસને ચાવી ચડાવવાનું સહેલું હોય છે. કેટલાક સ્વાર્થી, મીંઢા માણસો પોતે બોલતા નથી હોતા, પરંતુ વાચાળ માણસની ખુશામત કરીને, પ્રલોભનો આપીને, ચાવી ચઢાવીને એની પાસે પોતાની ઇચ્છા પ્રમાણે બોલાવડાવે છે. એવે વખતે વાચાળ માણસોને, પોતે બીજાના હાથા બની જાય છે એનો ખ્યાલ આવતો નથી. મીંઢા માણસ મૂંગા રહીને પોતાના સ્વાર્થનું કામ વાચાળ માણસો પાસે કરાવી લે છે. પરંતુ જ્યારે ખરાબ પરિણામ ભોગવવાનો વખત આવે છે ત્યારે વાચાળ માણસનો ભ્રમ તૂટી જાય છે.
સત્યના પણ હિત, મિત અને પથ્ય એવા ગુણો બતાવવામાં આવે છે. સત્ય હિતકારી, મિતસ્વરૂપી અને બીજાને તે ગ્રાહ્ય તથા પથ્ય હોય એવું બોલવું જોઈએ.
જૈન સાધુ ભગવંતો માટે ભગવાને પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિના પાલન પર બહુ ભાર મૂક્યો છે. એ આઠને અષ્ટ પ્રવચન માતા તરીકે ઓળખવામાં આવે છે. સાધુ ભગવંતોએ સંયમની આરાધના માટે આ સમિતિ-ગુપ્તિનું બહુ જયણાપૂર્વક પાલન કરવાનું હોય છે. એમાં પાણીનું મહત્ત્વ કેટલું બધું છે તે સમિતિ ને ગુપ્તિ એમ બંનેમાં એને સ્થાન આપવામાં આવ્યું છે તે પરથી જોઈ શકાશે.
પાંચ સમિતિમાં એક સમિતિ તે ભાષા સમિતિ છે અને ત્રણ ગુપ્તિમાં એક ગુપ્તિ તે વચનગુપ્તિ છે. આમ ભાષા અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org