________________
૧૩૪
વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨
मोसस्स पच्छा य पुरत्थओ य पओगकाले य दुही दुरंते । एवं अदत्ताणि समाययंतो रूवे अतितो दुहिओ अणिस्सो ॥31॥ - [જૂઠું બોલતાં પહેલાં, બોલ્યા પછી અને બોલવા કાળે પણ દુષ્ટ હૃદયવાળો તે જીવ દુઃખી થાય છે. તેમ જ રૂપમાં અતૃપ્ત રહેલો અને અણદીધેલું ગ્રહણ કરનાર હંમેશાં અસહાય અને દુઃખી પીડિત રહે છે.]
ચોરીનો વિષય ઘણો વિશાળ છે અને એના પ્રકારો પણ અનેક છે. ચોરી વિનાનો માનવજાતનો ઈતિહાસ ક્યારેય સંભવી ન શકે. દુનિયામાં બધા જ માણસો ધનવાન, સુખી અને સાધનસંપન્ન હોય તો પણ દુનિયામાંથી ચોરી નિર્મૂળ ન થઈ શકે, કારણ કે અનાદિ કાળના એ સંસ્કાર છે. આ તો પૂલ ચોરીની વાત થઈ. સૂક્ષ્મ, માનસિક ચોરીની તો વળી વાત જ જુદી છે. તાળું અવિશ્વાસનું પ્રતીક હોવા છતાં માણસે તાળાની શોધ કરીને અસંખ્ય લોકોને ચોરીનો ગુનો કરતા અટકાવ્યા છે. માનવજાત ઉપર તાળાનો ઘણો મોટો ઉપકાર
ગરીબી કે બેકારીને કારણે થતી મોટી મોટી ચોરીઓ અને લૂંટફાટનો વિષય એ એક જુદો જ વિષય છે. એ પણ એક મોટું પાપ છે એમ દુનિયાના બધા જ ધર્મો સ્વીકારે છે. એ પ્રકારની ચોરીના વિષયને અહીં સ્પર્શવો નથી. અહીં તો આકર્ષક મનગમતી ચીજવસ્તુઓની ચોરી, લોભ કે લાલચને વશ થઈ માણસ જે કરે છે તેની વાત કરવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org